મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ એવું કર્યું કે તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. પીર પીપલિયા ગામના રહેવાસીઓએ હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફમાં તૈનાત હતા.
હવાલદાર મોહન સિંહ સુનેર આતંકીઓ સાથે લડતાં લડતાં શહીદ થઇ ગયા હતા. 27 વર્ષતી તેમનો પરિવાર ગામમાં એક તૂટેલા કાચા મકાનમાં રહેવા મજબૂર હતો. સરકાર તરફથી તેમના પરિવારને કોઇ મદદ મળી નહોતી.
ગામવાળાઓએ ફંડ એકઠુ કરી રક્ષાબંધનની આપી ભેંટ
સરકાર દ્વારા હવાલદાર મોહન સિંહ સુનેરના પરિવારને આર્થિક મદદ ન મળતાં તેમનો પરિવાર એક કાચા મકાનમાં રહેતો હતો. પરંતુ ગામવાળાઓ થોડા દિવસ પહેલા ફંડ એકઠુ કરી શહીદ મોહન સિંહના પરિવારને પાકુ મકાન બનાવી આપ્યું. ગામવાળા લોકોએ 11 લાખ જમા કરીને શહીદના વિધવા પત્ની રાજૂ બહેનને રક્ષા બંધનના દિવસે ગિફ્ટ કર્યું.
બહેને ભાઇઓના હાથમાં પગ રાખી ઘરમાં કર્યો પ્રવેશ
ગામવાળાએ ગીફ્ટ આપવાની પણ વ્યવસ્થા શાનદાર રહી. બહેને પોતાના ભાઇના હાથ પર પગ મુકીને પોતાના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો. બીએસએફમાં તૈનાત મોહન લાલનો પરિવાર મજદૂરી કરીને ભરણ પોષણ કરી રહ્યો હતો. 700 રૂપિયાનું મળી રહેલું પેન્શન પરિવાર માટે પર્યાપ્ત નથી જેના કારણે મજદૂરી કરવી પડી રહી છે.
જેને લઇને ગામના નૌજવાનોએ એક અભિયાન શરૂ કર્યું અને જોતજોતામાં 11 લાખ રૂપિયા જમા કરી લીધા, જેને લઇને આ મકાન તૈયાર થઇ ગયું. ગત વર્ષની જેમ શહીદની પત્નીને રાખીને બાંધીને રાખડી બાંધીને તેમને રક્ષાબંધનની ગીફટમાં નવા ઘરની ચાવી સોંપી દીધી.
ગામવાળાઓએ પીર પિપલ્યાના મુખ્ય રોડ પર શહીદની પ્રતિમા લગાવાની પણ યોજના બનાવી છે. આ સાથે જે સરકારી સ્કૂલમાં તેઓ ભણ્યાં હતા તેનું નામ તેમના નામ પર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.