મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાળેશ્વર મંદિરને 80 દિવસ બાદ આજે ફરી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે.
80 દિવસ બાદ ખુલ્યું મહાકાળેશ્વરનું મંદિર
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે આ વિશ્વ પ્રસિદ્ધ મંદિર
કોરોના મહામારીના કારણે કરવામાં આવ્યું હતું બંધ
મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાળેશ્વર મંદિરને 80 દિવસ બાદ આજે ફરી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. કોવિડ-19 સંક્રમણને જોતા આ વર્ષે 9 એપ્રિલથી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ પર પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે શરૂ થયેલી આ મહામારીના કારણે મંદિરને બીજી વખત બંધ કરવું પડ્યું હતું.
Madhya Pradesh | The Mahakaleshwar temple at Ujjain reopens for devotees today
Temple to open from 6am to 8pm daily, online registration required, negative RT-PCR report not older than 48 hours or vaccination certificate required at entry pic.twitter.com/Iq7TmJkiUK
મંદિરમાં એન્ટ્રી માટે શું જોઈશે?
મંદિર આજે સવારે 6 વાગ્યાથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશની હજુ પણ પરવાનગી નથી આપવામાં આવી. મંદિરમાં ભગવાન મહાકાળના દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે. મંદિરમાં એ લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે અથવા 48 કલાક પહેલા તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પ્રવેશ કરતી વખતે શ્રદ્ધાળુઓને તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
— Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) June 28, 2021
દરરોજે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી
દરરોજે સવારે 6 વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી 3,500 શ્રદ્ધાળુઓને મંદિરોમાં પ્રવેશ આપવામાં આવશે. તેના માટે બે-બે કલાકના સાત સ્લોટ બનાવવામાં આવ્યા છે અને એક સ્લોટમાં ફક્ત 500 લોકોને પ્રવેશની અનુમતિ થશે. કોવિડ-19 મહામારીના શરી થયા પહેલા દરરોજે લગભગ 20 હજાર લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હતા. જણાવી દઈએ કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 175 કિમી દૂર ધાર્મિક નગરી ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિર, દેશમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.