મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ઐતિહાસિક મહારાજ વાડા પર હાઈડ્રોલિક ફાયર બ્રિગેડની મ્યુનિસિપલ બિલ્ડિંગ પર ધ્વજ લગાવતી વખતે ભયાનક દુર્ઘટના થઈ હતી. જેમાં નગર નિગમના ત્રણ કર્મચારીઓના મોત થયા છે.
આ બધા મ્યુનિસિપલ બિલ્ડિંગના જૂની ઓફિસ પર સ્વતંત્રતા દિવસ માટે રાષ્ટ્ર ધ્વજ લગાવી રહ્યાં હતા ત્યારે નવા વાહનમાં ખોટું બટન દબાવવાથી દુર્ઘટના થઈ હતી. મૃતકોમાં મ્યુનિસિપલ ચોકીદાર અને બે ફાયર કર્મચારીઓ સામેલ છે. જ્યારે ફાયર બ્રિગડનો ડ્રાઈવર ગંભીરરીતે ઘાયલ થયો છે. આ દુર્ઘટના એવા સમયે થઈ જ્યારે મ્યુનિસિપલની હાઈડ્રોલિક ફાયર બ્રિગેડની ટ્રોલીમાં બેસીને પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ પર કર્મચારી ધ્વજ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહારાજ વાડાની બનેલી ઐતિહાસિક બિલ્ડિંગોને દર વર્ષે સ્વતંત્રતાના દિવસના શુભ અવસરે સજાવવામાં આવે છે.
3 employees of the municipal corporation in Gwalior died while another was seriously injured after the platform of the vehicle they were using broke open while installing the national flag on a post office building this morning for the Independence Day celebrations tomorrow. pic.twitter.com/zJiVJlZUCE
દુર્ઘટના પર મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દુ:ખ વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું, ગ્વાલિયરમાં મહારાજ વાડા સ્થિત પોસ્ટ ઓફિસ પર મશીન અપલોડ કરતી સમયે થયેલી દુર્ઘટનામાં 3 કર્મચારીઓના નિધન અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાના દુ:ખદ સમાચાર મળ્યાં છે. ભગવાન દિવંગત આત્માઓની શાંતિ, પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.
દુર્ઘટના પર પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથની પ્રતિક્રિયા
આ સંદર્ભે પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું, ગ્વાલિયરમાં રાષ્ટ્રીય ધ્વજ લગાવવા દરમ્યાન ક્રેનમાં થયેલી દુર્ઘટનામાં અમુક લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા અને અમુક લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. પીડિત પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરુ છું. હું સરકાર સમક્ષ માંગ કરુ છુ કે આ સમગ્ર મામલાની તપાસ થાય અને દોષિતો પર કાર્યવાહી થવી જોઈએ.