મધ્યપ્રદેશના સીધી દુર્ઘટનામાં બાળકો-યુવાન અને વૃદ્ધો સૌ મોતના મોંમાં સમાઇ ગયા. 61 યાત્રિઓથી ભરેલી બસમાં માત્ર 7 લોકો જ જીવતા બચ્યા, 51 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.
મધ્યપ્રદેશના સીધીમાં બસ કેનાલમાં ખાબકતા મોટી દુર્ઘટના બની હતી
પરિવારજનોનો બાળકીનો મૃતદેહ હાથમાં લેતી વખતે હાથ કંપી ઉઠ્યાં
61 યાત્રિઓથી ભરેલી બસમાં માત્ર 7 લોકો જ જીવતા બચ્યા છે, 51ના મોત
બુધવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા રેસ્ક્યુમાં અત્યાર સુધી 4 મૃતદેહો મળી ચૂક્યા છે. દુર્ઘટનામાં અંદાજિત 30 કલાક બાદ રેસ્ક્યૂ ટીમને 5 મહીનાની માસૂમ શુભી ઉર્ફ સૌમ્યાનો મૃતદેહ મળ્યો છે. જ્યારે જવાનોએ બાળકીનો મૃતદેહ જોયો તો તેમની આંખોમાં પણ આંસૂ આવી ગયા, કારણ કે જ્યારે માસૂમે હજુ દુનિયા પણ નહીં જોઇ હોઇ અને તે કેનાળમાં પાંદડાની જેમ વહી ગઇ. આ પરિની જીંદગીની સફર જન્મના પાંચ મહિના બાદ ખતમ થઇ ગઇ. જણાવી દઇએ કે શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને મળ્યા અને તેમના દર્દ વહેંચવા માટે તેમના ઘરે પહોંચ્યા છે.
22 કિલોમીટર દૂર મળી માસૂમ
રેસ્ક્યૂ ટીમને માસૂમ સૌમ્યાનો મૃતદેહ દુર્ઘટનાની જગ્યાથી અંદાજિત 22 કિલોમીટર દૂર રીવાના ગોવિંદગઢની નજીક મળ્યો છે. જ્યારે સૌમ્યાની માં સોમબાઈ ગૌડ અને માસીનો મૃતદેહ એક દિવસ પહેલા જ બસમાં મળ્યો હતો. જણાવી દઇએ કે દુર્ઘટના બનતા જ બાળકી પોતાની માંના ખોળામાંથી છૂટી ગઇ હતી. જે પાણીમાં વહીને આટલા દૂર ચાલી ગઇ.
દીકરી ખોળામાં લઇને પરીક્ષા આપવા જઇ રહી હતી માં
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સોમબાઈ ગૌડના લગ્ન 2 વર્ષ પહેલા બંડેવાના ચિતરંગી ગામના નિવાસી હરિપ્રતાપ ગૌડ સાથે થયા હતા. હરિપ્રતાપ આંધ્રપ્રદેશમાં નોકરી કરે છે, જ્યારે પત્ની ગામમાં રહેતી હતી. તેઓ મંગળવારે પોતાની બહેન આશાની સાથે એએનએમની પરીક્ષા આપવા માટે નિકળી હતી. બન્ને બાળકીઓને લઇને બસમાં સવાર હતી. પરંતુ થોડી વાર ચાલતા જ બસ કેનાળમાં પડી ગઇ. સોમબાઇ અને આશા ગૌડ બસમાં ફંસાઇ ગઇ, જ્યારે બાળકી પાણીના વહેણમાં વહી ગઇ.
નાની બાળકીનો મૃતદેહ સૌથી વજનદાર
વિચારે તે પરિવારના ઘરમાં માતમ કેવો હશે, જેના ઘરમાં પહેલાથી સોમબાઈ અને આશા ગૌડના મૃતદેહ રાખેલા છે. હવે પાંચ મહિનાની બાળકી સૌમ્યાનો મૃતદેહ પણ પહોંચશે, જે કદાચ સૌથી ભારે હશે. કારણ કે કાલ સુધી પરિવાર માસૂમની કિલકારી સાંભળવા ખુશ હતા તેઓ હવે તેનો ચેહરો જોવા માટે તડપતા રહેશે.
માસૂમ દીકરા સાથે માં પણ વહી ગઇ
સીધી બસ દુર્ઘટનાની આ તસવીર પણ માર્મિક છે, જ્યાં રામપુર નૈકિનની રહેવાસી પિંકી ગુપ્તા અને પોતાના બે વર્ષના દીકરા અથર્વની સાથે વહી ગઇ હતી. બન્નેના મૃતદેહ કાઢવામાં આવ્યા છે, ત્યારે તેમના પતિ અને સસરા આ દુર્ઘટનામાં બચી ગયા. સીએમ શિવરાજસિંહ ચૌહાણ આ મૃતક પરિવારના ઘરે દુઃખ વહેંચવા માટે પહોંચ્યા હતા.
Madhya Pradesh: CM Shivraj Singh Chouhan arrives at Rampur Naikin in Sidhi district to meet the families of the people who died in Sidhi bus accident yesterday.