એક બાજુ જ્યાં દાનના અભાવમાં દેશના ઘણા જાણીતા મંદિરોની હાલાત ખરાબ થવાના સમાચાર આવી રહ્યા છે તો બીજી બાજુ મધ્ય પ્રદેશના સતનામાં પૈસા વહેંચવાનો રહસ્યમયી કેસ સામે આવી રહ્યો છે.
જ્યાં બે અજનબી જગતદેલ તાલાબના શિવ મંદિરની આસપાસ બેસનાર ભિખારીઓને 500, 200 અને 100-100ની નોટોમાં આશરે 30 હજાર રૂપિયા વહેંચીને અચાનક ગુમ થઇ ગયા. પરંતુ બંનેના ફોટા સામે પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા.
સીસીટીવી કેમેરામાં બંનેમાંથી એક શખ્સ ખિસ્સામાંથી નોટનું બંડલ નિકાળીને ગણતો પણ જોવા મળી રહ્યો છે. આ વાતની જાણ જ્યારે પેટ્રોલ પંપ સંચાલકને થઇ તો એ ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામની નોટને ડિસઇન્ફેક્ટેડ કરવાનો પ્રયત્ન કર્યો. તો હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે નોટોને આ રીતે વહેંચવા પર સતના પોલીસ તમામ આશંકાઓ વ્યક્ત કરી રહી છે. વાસ્તવમાં દેશના અલગ અલગ ભાગથી રસ્તા પર પડેલી લાવારિસ નોટોએ પહેલા જ પોલીસની ઊંઘ ઊડી ગઇ છે. હવે સતનામાં 30 હજાર રૂપિયાની ભારે ભરકમ રકમ ભિખારીઓને વહેંતી તો બબાલ થઇ, લૉકડાઉનમાં એક બાજુ દરેક વ્યક્તિ પ્રભાવિત છે, એવામાં ભિખારીઓને 500, 200 અને 100-100 નોટો વહેંચવી કોઇના ગળે ઊતરી રહી નથી.
સિટી કોતવાલીના સ્ટેશનના પ્રભારી સંતોષ તિવારીએ જણાવ્યું કે કાલ આ વાત અમારા ધ્યાનમાં આવી કે ત્યાં કેટલાક લોકોએ ભિખારીઓને પૈસા વહેંચ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ રૂપિયા વહેંચવા કોઇ ગુનો નથી. કારણ કે કોરોનાથી ડરનો માહોલ છે અને એવી પણ અફવા પણ છે કે કોરોનાથી સંબંધિત ચીજો રસ્તા પર ફેંકવામાં આવી રહી છે, એટલા માટે કંઇ ખોટું ના થાય એની તપાસ કરવા માટે અને અમારી ટીમ મોકલીને જાતે જ સીસીટીવી ફુટેજ જોયા છે.
સીસીટીવી ફુટેજમાં ગ્રીન કલરની શરટ પહેરેલો એક વ્યક્તિ પૈસા આપતા જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ સમય જો કોઇ પૈસા આપી રહ્યું છે તો એને પણ શંકાની નજરેથી જોવામાં આવી રહી છે. આ વાત માટે ભિખારીઓથી પણ સંપર્ક કરવામાં આવ્યો. એમના પૈસા પણ સેનેટાઇઝ કરાવવામાં આવ્યા છે.
સંતોષ તિવારીએ કહ્યું છે કે એની સામાન્ય રૂપથી તપાસ કરવામાં આવી રહી છે. જો કોઇ ગુના રૂપે હશે તો કાર્યવાહી કરવામાં આવશે.