મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં ડૉક્ટરોની લાપરવાહીનો એક મામલો સામે આવ્યો છે. અહીં ડૉક્ટરોએ એક વૃદ્ધને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જો કે તે વ્યક્તિ જીવિત હતી. પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર, કાશીરામ નામનાં એક શખ્સની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુરૂવારનાં રોજ રાત્રીએ હોસ્પિટલનાં ડૉક્ટરોએ કાશીરામને મૃત જાહેર કરી દીધો.
કાશીરામ નામનાં એક શખ્સની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે ગુરૂવારનાં રાત્રીએ હોસ્પિટલનાં ડૉક્ટરોએ કાશીરામને મૃત જાહેર કરી દીધો હતો પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચ્યા તો તે વૃદ્ધ વ્યક્તિનાં શ્વાસ ચાલી રહ્યાં હતાં.
મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં ડૉક્ટરોની લાપરવાહીનો એક મામલો સામે આવ્યો છે. અહીં ડૉક્ટરોએ એક વૃદ્ધને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જો કે તે વ્યક્તિ જીવિત હતી. પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર, કાશીરામ નામનાં એક શખ્સની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુરૂવારનાં રોજ રાત્રીએ હોસ્પિટલનાં ડૉક્ટરોએ કાશીરામને મૃત જાહેર કરી દીધો. જ્યાર બાદ પોલીસને જાણકારી આપવામાં આવી કે કાશીરામ સોની (72) નિવાસી નૌગામ છત્તરપુરની સારવાર દરમ્યાન મોત થઇ ગયું છે.
ત્યાર બાદ વગર થાણા પ્રભારી અનિલ મૌર્ય મૃતનું પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચ્યાં તો વૃદ્ધનાં શ્વાસ ચાલી રહ્યાં હતાં. વૃદ્ધને તત્કાલ હોસ્પિટલમાં ફરી વાર ભરતી કરવામાં આવ્યાં અને ફરીથી તેની સારવાર શરૂ કરવામાં આવી. જો કે સારવાર દરમ્યાન શુક્રવારનાં રોજ સવારનાં 10:20 કલાકે વૃદ્ધનું મોત થઇ ગયું.
Madhya Pradesh: A man who was declared dead by doctors last night in District Civil Hospital, Sagar, was found alive today morning when he was taken for postmortem. DR RS Roshan (CMO) says,"The negligence done by the doctor will be investigated." pic.twitter.com/D1rATuTmmA
જિલ્લા મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) ડૉક્ટર એસ આર રોશને આ ઘટનાને ડૉક્ટરની લાપરવાહી કરાર કરી અને બાદમાં તપાસ કરવાની વાત કરી. સીએમઓએ કહ્યું કે આ મામલામાં ડૉક્ટર અવિનાશ સક્સેનાની લાપરવાહી સામે આવી છે. આ ઘટનાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.