મધ્ય પ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં માંડ માંડ રહી ગઈ. એર ઈંડિયાનું વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું.
જબલપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા રહી ગઈ
એર ઈંડિયાની ફ્લાઈટ રન વે પરથી લપસી ગઈ
મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
મધ્ય પ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં માંડ માંડ રહી ગઈ. એર ઈંડિયાનું વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું. આ વિમાનમાં લગભગ 35થી વધારે મુસાફરો બેઠેલા હતા. હાલમાં તમામ સુરક્ષિત છે. એર ઈંડિયાની ફ્લાઈટ મુસાફરોને લઈને દિલ્હીથી જબલપુર જઈ રહી હતી. જબલપુર પહોંચનારી ફ્લાઈટમાં સવાર મુસાફરો પર અચાનક જીવનું જોખમ આવી પડ્યું. હકીકતમાં વિમાન લેન્ડીંગ સમય રનવેથી લપસી ગયું હતું. દિલ્હીથી જબલપુર આવતી ફ્લાઈટ જેવી ડુમના એરપોર્ટ પર લેંડ થઈ તો આ દુર્ઘટના થઈ ગઈ. ફ્લાઈટ રન વેથી ઉતરી ગઈ અને એર સ્ટ્રિપના કિનારે જમીનમાં ફસાઈ ગઈ. આ કારણે વિમાનનો આગળનો ભાગ લેન્ડીંગ ફ્રન્ટ વ્હીલ તૂટી ગયું હતું.
Madhya Pradesh | Runway excursion occurred at Jabalpur. An Alliance Air ATR-72 aircraft, with around 55 passengers onboard from Delhi, went off the runway at Jabalpur.
ડુમના એરપોર્ટ પર એર ઈંડિયાની ફ્લાઈટ નંબર E-9167 બેકાબૂ થતાં રન વેથી લપસી જવાના સમાચાર આવ્યા હતા. ખબર મળતા એરપોર્ટ અથોરિટી ઓફ ઈંડિયાના અધિકારી તુરંત રન વે પર પહોંચી ગયા અને વિમાનમાં બેઠેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા. સારી વાત એ છે કે, કોઈ મુસાફરને નુકસાન ન થયું, પણ વિમાન રન વેથી લપસી જવાના કારણે આ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને રન વે પર બોલાવ્યા
સાવધાની ખાતર એરપોર્ટના અધિકારીઓએ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પણ રન વે પર બોલાવી લીધી હતી. એર ઈંડિયાની નિયમીત ફ્લાઈટ કેવી રીતે દુર્ઘટનાનો શિકાર કેવી રીતે માંડ માંડ બચી, તેના પર અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું. અધિકારીઓ ફ્લાઈટ બેકાબૂ થવાની ઘટનાને લપસી જવા સાથે સરખાવી રહ્યા છે. જો કે, સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.