મધ્યપ્રદેશની રાજનીતિના 'મહારાજ' જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભાજપમાં સામેલ થઇ ગયા છે. બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના મુખ્યાલયમાં સભ્યપદ લીધું. સિંધિયાના બીજેપીમાં સામેલ થવાથી કોંગ્રેસમાં હલચલ છે પરંતુ હવે ભાજપમાં પણ નારાજગીના સમાચાર મળ્યા છે.
મધ્યપ્રદેશની રાજનીતિના 'મહારાજ' જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભાજપમાં સામેલ થઇ ગયા
સિંધિયાના બીજેપીમાં સામેલ થવાથી કોંગ્રેસમાં હલચલ, ભાજપમાં પણ નારાજગી
મધ્યપ્રદેશમાં ભાજપના મોટા નેતા પ્રભાત ઝા આ નિર્ણયથી નારાજ છે અને તેઓએ આ વિશે કેન્દ્રીય આલાકમાનને પણ જણાવ્યું છે. પ્રભાત ઝા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર છે, પરંતુ લાંબા સમયથી પાર્ટીથી સાઇડલાઇન ચાલી રહ્યા છે. આ કારણે ગત કેટલાક સમયમાં તેમની નારાજગી ઘણી વાર સામે આવી છે.
ગત વર્ષે જ્યારે લોકસભા ચૂંટણી થઇ ત્યારે પણ પ્રભાત ઝા પૂર્ણ રીતે અલગ દેખાયા અને પ્રચાર અથવા રણનીતિ બનાવાથી દૂર રહ્યા. આ પહેલા પણ ઘણી વાર પ્રભાત ઝા મધ્ય પ્રદેશમાં સિંધિયા પરિવારની વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે. પ્રભાત ઝાની ગણતરી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નજીકના નેતાઓમાં થતી રહી છે.
ચૂંટણી બાદ પ્રભાત ઝાએ ટ્વિટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી અને ટ્વિટર પર પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટેગ કરી લખ્યું હતું કે કોઇના સન્માનની સાથે આટલો છેડછાડ ન કરવો જોઇએ કેમકે આપની સાથે પણ આમ થઇ શકે છે.
પ્રભાત ઝા પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીની મધ્ય પ્રદેશ યૂનિટના અધ્યક્ષ રહ્યા છે, પરંતુ 2012માં તેઓ પદથી હટી ગયા હતા. ત્યારબાદ તેઓ રાજ્યસભામાં હતા, પરંતુ એપ્રિલમાં તેમનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે. એવામાં અત્યાર સુધીમાં જે સંકેત મળી રહ્યા છે તેનાથી તેમના ફરી વાર રાજ્યસભામાં જવા પર સંકટના વાદળ ઘેરાયા છે.