મધ્ય પ્રદેશમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. બુધવારે શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકર પર પણ સવાલ ઉઠાવ્યા. સુપ્રીમ કોર્ટે આવતી કાલે સુધી સુનાવણી ટાળી છે.
મધ્ય પ્રદેશમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે
બુધવારે સુપ્રીમ કોર્ટે શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર આ મામલે સુનાવણી કરી
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આખરે ધારાસભ્યોના રાજીનામાને હજુ સુધી કેમ સ્વીકારવામાં આવ્યા નથી? બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણે કોર્ટમાં અપીલ કરીને કમલનાથ સરકારને બહુમતી પરીક્ષણ જલ્દી જ કરાવવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે સ્પીકરને પૂછ્યું- ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય કેમ ન લેવાયો
મધ્ય પ્રદેશના રાજીકીય સંકટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકરને સવાલ કર્યો કે આખરે તમે ધારાસભ્યોના રાજીનામા પર હજુ સુધી નિર્ણય કેમ ન લીધો. શું આ ધારાસભ્ય પોતાની જાતે અયોગ્ય નહીં થઇ જાય? જો આપ સંતુષ્ટ નથી તો આપ ધારાસભ્યોના રાજીનામાને અસ્વીકાર કરી શકો છો. તમે 16 માર્ચ સુધી બજેટ સત્ર ટાળી દીધું. જો તમે બજેટને પાસ નહીં કરો તો રાજ્ય સરકારનું કામકાજ કેવી રીતે ચાલશે ?
જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે શું કોર્ટ ગૃહની કાર્યવાહી દરમિયાન સ્પીકરની શક્તિમાં ઘટાડો કરી શકે છે?
દિગ્વિજયનો બીજેપી પર હુમલો
બેંગલુરુમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી પર નિશાન સાધ્યું. દિગ્વિજય સિંહ બોલ્યા કે બીજેપી મધ્ય પ્રદેશમાં જે કરી રહી છે, તે લોકતંત્રની હત્યા છે.
નોંધનીય છે કે બેંગલુરુ કોંગ્રેસના બળવાખોર 16 ધારાસભ્યોએ કમિશ્નરને પત્ર લખ્યો છે અને સુરક્ષા વધારવાની અપીલ કરી છે. અહીં તેમની બુધવારે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ મુલાકાત કરવા પહોંચ્યા હતા, જોકે, પોલીસે તેઓને અટકાયતમાં લીધા હતા.