હોળીના તહેવાર વચ્ચે મધ્યપ્રદેશમાં એક વખત ફરી રાજકીય સંકટ સર્જાયું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક અંદાજિત 20 કોંગ્રેસ ધારાસભ્ય બેંગલુરૂ પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર જે ધારાસભ્ય બેંગલુરૂ પહોંચ્યા છે તેમાં 6 મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી પણ છે.
મધ્યપ્રદેશમાં ફરી એક વખત રાજકીય સંકટ
તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને આપ્યા રાજીનામા
તમામ રાજીનામાનો સ્વિકાર કરાયો
તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા
મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને પોતાના રાજીનામા સોંપ્યા છે. મુખ્યમંત્રી કમલનાથને ફરીથી કેબિનેટનું ગઠન કરવા અને જરૂરિયાત અનુસાર મંત્રીઓની પસંદગીની આઝાદી આપવામાં આવી છે. મુખ્યમંત્રી કમલનાથ સાથે જોડાયેલ નજીકના સૂત્રોનું કહેવું છે કે બેંગલુરૂ ગયેલા ધારાસભ્ય પાર્ટીમાં પરત આવશે. મહત્વનું છે કે, આજે સાંજે મધ્યપ્રદેશ કોંગ્રેસ પાર્ટીની ધારાસભ્યની બેઠક યોજાશે.
કેબિનેટનું પુનર્ગઠન કરી શકાય તે માટે આપ્યા રાજીનામાઃ મંત્રી
જોકે, હજુ સુધી કમલનાથે રાજીનામું નથી આપ્યું. રાજીનામા આપનાર 16-17 મંત્રીઓમાંથી એક પીસી શર્માનું કહેવું છે કે રાજીનામા એટલા માટે આપવામાં આવ્યા છે જેનાથી કેબિનેટનું પુનર્ગઠન કરી શકાય અને નારાજને મનાવી શકાય.
મારી સૌથી મોટી તાકાત જનતાઃ કમલનાથ
કમલનાથે ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે પ્રતિક્રિયા આપી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે તે તાકાતોને સફળ નહીં થવા દઉ જે માફિયાની મદદથી અસ્થિરતા પૈદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મારી સૌથી મોટી તાકાત મધ્યપ્રદેશની જનતાનો ભરોસો અને પ્રેમ છે.
અમે સરકાર નથી તોડી રહ્યાઃ ગોપાલ ભાર્ગવ
મધ્યપ્રદેશના નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ઉથલપાથ માટે ભાજપ જવાબદાર નથી. તેમણે કહ્યું કે, જો મધ્યપ્રદેશમાં સરકાર તૂટે છે અને અમને મોકો મળે છે તો હાઈકમાન્ડ જે પણ કહેશે તેમ કરીશું.