મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આમ કમલનાથ સરકાર પર સંકટ વધુને વધું ઘેરાતુ જઇ રહ્યું છે. જો કે, ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપ બંન્નેએ ધારાસભ્યદળની બેઠક બોલાવી હતી.
મધ્યપ્રદેશમાં રાજકીય ઘમાસાણ યથાવત
કોંગ્રેસની બેઠકમાં વધુ 4 ધારાસભ્ય રહ્યા ગેરહાજર
નવા-જુની થવાના એંધાણ
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કમલનાથ સરકારને વધુ એક આંચકો લાગ્યો હતો. મંગળવારે સાંજે 6 વાગ્યે શરૂ થયેલી આ બેઠકમાં કોંગ્રેસના માત્ર 88 ધારાસભ્યોએ ભાગ લીધો છે. એટલે કે આ બેઠકમાં કોંગ્રેસના વધુ ચાર ધારાસભ્યો ગુમ થયા હતા. કોંગ્રેસની બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.
વધુ 4 ધારાસભ્ય થયા ગાયબ
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કુલ 92 ધારાસભ્યો પહોંચ્યા હતા, જેમાં 4 અપક્ષ હતા. કોંગ્રેસના કુલ 114 ધારાસભ્યો હતા, જેમાંથી 22 ખુલ્લેઆમ રાજીનામું આપી ચૂક્યા છે, જ્યારે હવે વધુ ચાર ગુમ થયા છે. એટલે કે, કુલ 26 ધારાસભ્યો કોંગ્રેસના હાથમાંથી સરકી રહ્યા છે.
હોળીના અવસરે કોંગ્રેસને મોટા ઝટકો
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં હોળીના અવસરે કોંગ્રેસને મોટા ઝટકા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પાર્ટીના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલું રાજીનામુ સાર્વજનિક કર્યું છે. તેઓએ પત્ર દ્વારા કહ્યું કે તેઓે કોંગ્રેસમાં રહેતા રાજ્ય અને દેશ માટે કંઇક સારુ નથી કરી શકતા. એવામાં આગળ વધવાનો સમય છે.
22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થક જુથમાંથી 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.
બિસાહુ લાલ સિંહે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની સાથે કોંગ્રેસ પણ છોડી દીધી છે અને તેઓ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. ધારાસભ્યોના રાજીનામા બાદ બીજેપી નેતા વિધાનસભા સ્પીકરને મળ્યા.