હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ સ્ટેશન કરાયું
છેલ્લી હિંદુ આદિવાસી રાની કમલાપતિના નામ પર સ્ટેશનું નામ રખાયું
પીએમ મોદી જનજાતીય સમુદાયને આપશે ભેટ
હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ સ્ટેશન કરાયું
ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ સ્ટેશન કરી દેવામાં આવ્યું છે. હબીબગંજ સ્ટેશનનું નામ છેલ્લી હિંદુ આદિવાસી રાની કમલાપતિના નામ પર રાખવાના કેન્દ્રના આ નિર્ણયને મધ્ય પ્રદેશ સરકારની ભલામણ પર છે.
આંતરરાષ્ટ્રીય એર પોર્ટના બેઝ પર વિકસિત છે આ વિશ્વસ્તરીય મોર્ડન સ્ટેશન
ઉલ્લેખનીય છે કે 450 કરોડના પ્રોજેક્ટ વાળા હબીબગંજ સ્ટેશનને પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવ્યું છે. હબીબગંજ સ્ટેશન દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન બનશે જ્યાં એરપોર્ટની જેમ વર્લ્ડ ક્લાસ સુવિધા પ્રવાસીઓને મળી શકે છે. આ સ્ટેશન પર લોકો ભીડ વર ટ્રેનના બર્થ સુધી પહોંચી શકે છે. જે પ્રવાસી સ્ટેશન પર ઉતરશે તે પણ અલગ અલગ માર્ગોના માધ્યમથી સ્ટેશનની બહાર નીકળી જશે. એન્ટ્રી એક્ઝિટ અલગ અલગ છે. પ્લેફોર્મ પર પહોંચવા માટે સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટ છે. ઓપન કોર્નકોર્સમાં 700થી 1100 પ્રવાસી બેસી શકશે. સ્ટેશન 160 સીસીટીવી કેમેરાથી સજ્જ છે.
સીએમ શિવરાજે પીએમ મોદીનો માન્યો આભાર
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ આદિવાસી રાની રાની કમલાપતિ રેલવે સ્ટેશન રાખવા પર પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ આદિવાસી રાની રાની કમલાપતિના નામ પર રાખવા બદલ પીએમ મોદીનો આભાર માનું છું. તે ગોંડ સમાજની શાન હતા. તે છેલ્લા હિંદુ રાની હતા. મધ્ય પ્રદેશ સરકારે શુક્રવારે કેન્દ્રને પત્ર લખીને ભોપાલના હબીબગંડ રેલવે સ્ટેશનનું નામ બદલી રાની કમલાપતિ રેલવે સ્ટેશન કરવા માટે કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખી હતી.
જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે બિરસા મુંડાની જયંતી
ભારતી સરકારે જાહેરાત કરી છે કે ભગવાન બિરસા મુંડાની જયંતીને જનજાતીય ગૌરવ દિવસના રુપમાં મનાવવામાં આવશે. પીએમ મોદી આજે સવારે 9.45 વાગે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી રાંચીના ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉધ્ધાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્યાટન કરશે. પીએમ હંમેશા જનજાતીય સમુદાયોના અમૂલ્ય યોગદાન, વિશેષ રુપથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના બલિદાન પર ભાર મુક્યો છે.
પીએમ મોદી જનજાતીય સમુદાયને આપશે ભેટ
જનજાતિય ગૌરવ દિવસના પ્રસંગ પર ભોપાલના જંબૂરી મેદાનમાં આયોજિત થનારા જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં ભાગ લેવા પીએમ મોદી ભોપાલ જશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ રાશન આપકે ગ્રામ યોજનાનો આરંભ કરશે. આ દરમિયાન પીએમ વિશેષ રુપથી નબળા જનજાતીય સમૂહોના નવનિયુક્ત શિક્ષકોને પત્ર સોંપશે. અનેક મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.