મધ્ય પ્રદેશના શુઝાલપુરથી ધારાસભ્ય તથા શાળાકીય શિક્ષણ વિભાગના મંત્રી ઈંદરસિંહ પરમારની વહુ શાઝાપુર સ્થિત આવેલા પોતાના ઘરે લટકેલી હાલતમાં મળી આવી હતી.
શિવરાજ સરકારના મંત્રીના ઘરે માતમ છવાયો
દિકરાની વહુની લાશ ફાંસીએ લટકેલી જોવા મળી
મંત્રી ભોપાલથી સીધા ગામડે પહોંચ્યા
મધ્ય પ્રદેશના શુઝાલપુરથી ધારાસભ્ય તથા શાળાકીય શિક્ષણ વિભાગના મંત્રી ઈંદરસિંહ પરમારની વહુ શાઝાપુર સ્થિત આવેલા પોતાના ઘરે લટકેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તો વળી આ હાઈપ્રોફાઈલ કેસને લઈને પોલીસ તપાસમાં લાગી ગઈ છે. સવિતા જિલ્લના અકોદિયાના હડલાય ગામની રહેવાસી છે.
વહુની લાશ ઘરમાં લટકતી જોવા મળી
રાજ્યમંત્રી ઈંદરસિંહ પરમારની વહુની લાશ મંગળવારે મોડી રાતે ઘરમાં ફાંસીના ફંદે લટકાયેલી જોવા મળી હતી. માહિતી મળતા રાજ્યમંત્રી પરમાર ભોપાલથી સીધા પોતાના ગામ પોચાનેર પહોંચ્યા હતા. તો વળી સુઝાલપુરના એસડીઓપી અને એફએસએલ અધિકારી પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. તો વળી મંત્રી છેલ્લા બે દિવસથી ભોપાલમાં હતા. તો વળી મંગળવારે તેમનો પુત્ર દેવરાજ ગામના એક લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન સવિતાનો લાશ ફાંસીના ફંદે લટકેલી હાલતમાં મળી હતી.
પોલીસે કહ્યું આત્મહત્યા કરી હોવાની શંકા
પ્રથમ દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. જો કે, આત્મહત્યા કરવા પાછળના શું કારણો રહ્યા તે, સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અવંતિપુર બડોદિયા પોલીસ સ્ટેશન ટીઆઈ પ્રદીપ બાલ્ટરે જણાવ્યું હતું કે, સવિતા જિલ્લાના અકોદિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હડલાયની રહેવાસી છે. તે એક દિવસ પહેલા જ પોતાના પિયરથી પોચાનેર આવી હતી. તેમના લગ્નને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે.