મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.
પહેલા નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
11 જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ આપ્યા બાદ 68 વર્ષીય નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધારે ખરાબ હોવાથી તેમને એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
ભાજપના સાંસદના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે ખંડવાથી લોકસભા સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનના નિધનથી દુઃખી છું. તેમણે મધ્ય પ્રદેશમા ભાજપને મજબૂત કરવામાં સંગઠનાત્મક કૌશલ અને પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવારના પ્રત્યે સંવેદના.’
તેમનું સમ્પૂર્ણ જીવન જનસેવાને સમર્પિત રહ્યું- શાહ
ત્યારે ગૃહમંત્રી અમિત શાહે , પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ખંડવાના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. તેમનું સમ્પૂર્ણ જીવન જનસેવાને સમર્પિત રહ્યું. તેમણે મધ્યપ્રદેશમાં સંગઠનના વિસ્તારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હું તેમના પરિવારજનોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.
નંદુ ભૈયાનું જવું મારા માટે વ્યક્તિગત ખોટ - શિવરાજ સિંહ
મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને ટ્વીટ કરી કહ્યું કે લોકપ્રિય જનનેતા નંદુ ભૈયા આપણને બધાને છોડીને જતા રહ્યા. આપણા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. નંદુ ભૈયાના રુપમાં ભાજપે એક આદર્શ કાર્યકર્તા, કુશ સંગઠક, સમર્પિત જનનેતાને ખોઈ દીધા. હું વ્યથિત છું. નંદુ ભૈયાનું જવું મારા માટે વ્યક્તિગત ખોટ છે.
પાર્થિવ દેહ આજે તેમના ગૃહ ગ્રામ પહોંચશે
સીએમ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે પ્રદેશ અધ્યક્ષના રુપમાં નંદુ ભૈયાએ પોતાનું સર્વોત્કૃષ્ટ યોગદાન આપ્યુ. નંદુ ભૈયાના પાર્થિવ દેહ આજે તેમના ગૃહ ગ્રામ પહોંચશે. કાલે આપણે બધા તેમને વિદાઈ આપીશુ. હું તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરુ છુ. મનાઈ રહ્યું છે કે સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનનું પાર્થિવ શરીર આજે ખંડવા લાવવામાં આવ્યુ. જ્યાંથી શાહપુર લઈ જવાશે.