મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પડી ગઇ છે. મુખ્યમંત્રી કમલનાથે ગઇકાલે રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સોંપી દીધી હતું. જો કે આ સંપૂર્ણ ઘટનાક્રમમાં કોંગ્રેસના હાઇકમાન્ડના કામકાજને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.
દિલ્હીમાં કેમ કોઇ મીટીંગ ન થઇ?
કેમ ન મોકલવામાં આવ્યાં દિગ્ગજ નેતાઓને એમીપીમાં
કમલનાથે ગઇકાલે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ પાર્ટી હાઇકમાન્ડ દ્વારા મધ્ય પ્રદેશ મામલે ધ્યાન ન આપવામાં આવતાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના કેટલાંક નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીના નેતૃત્વ દ્વારા સરકારને બચાવવા માટે કોઇપણ પગલા કે કોઇપણ કાર્યવાહી કરવામાં આવ્યું નથી.
મધ્ય પ્રદેશમાં જોવા મળેલ રાજકીય સંકટ દરમિયાન કોંગ્રેસ દ્વારા પોતાના વરિષ્ઠ નેતાઓ જેવા કે ગુલામ નબી આઝાદ, એકે એન્ટોની અને અહેમદ પટેલને ભોપાલ કેમ મોકલવામાં આવ્યાં નહીં? શું મધ્ય પ્રદેશની પરિસ્થિતિને લઇને દિલ્હીમાં પાર્ટીના નેતાઓની કોઇ બેઠક થઇ?
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ સવાલ પૂછતાં તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ વિચાર્યું હતું કે બે દિગ્ગજ નેતા છે તેઓ ત્યાંની પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેશે. જો કે મને કોઇ એવી જાણકારી નથી કે દિલ્હીમાં તેને લઇને કોઇ મીટિંગ થઇ હોય.