મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર સંકટમાં છે ત્યારે ફ્લોર ટેસ્ટને લઈને કમલનાથે મોટું નિવેદન આપ્યું છે. કમલનાથનું કહેવું છે કે આજે સ્પીકર નક્કી કરશે કે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં. કમલનાથના કહેવા પ્રમાણે વિધાનસભા કાર્યસૂચિમાં ફ્લોર ટેસ્ટનો કોઈ ઉલ્લેખ નથી. અન્ય તરફ વિપક્ષ ફ્લોર ટેસ્ટની માગ કરી રહ્યું છે.
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર સંકટમાં
ફ્લોર ટેસ્ટ મુદ્દે કમલનાથનું નિવેદન
વિધાનસભા કાર્યસૂચીમાં નથી ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ
Madhya Pradesh Chief Minister Kamal Nath after meeting Governor Lalji Tandon: I have told Governor that I am ready for the floor test and the MLAs who have been held captive should be released. I will speak to the Speaker tomorrow about it (floor test). https://t.co/t5OkIdW9Ub
કમલનાથ સરકારના ભાવિનો આજે નિર્ણય થશે નહીં. વિધાનસભાની કાર્યસૂચીમાં ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ નહીં હોવાને લઈને કમલનાથ સ્પીકર સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપતાં કહ્યું હતું કે આજે વિધાનસભામાં સૌપ્રથમ 11 વાગે રાજ્યપાલનું અભિભાષણ થશે અને પછી ફ્લોર ટેસ્ટ યોજાશે. પરંતુ 16 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને ઉલ્લેખ કર્યો છે કે તેઓ ફ્લોર ટેસ્ટમાં હાજર નહીં રહે.
કમલનાથ કોરોનાના કારણે સત્ર રદ્દ કરવા કરી રહ્યા છે માંગ
એક તરફ વિપક્ષ ફ્લોર ટેસ્ટની માગ કરી રહ્યું છે ત્યારે કમલનાથ સામે સરકાર બચાવવાનો મોટો પડકાર પણ છે. હાલમાં વિધનસભામાં સભ્ય સંખ્યા 222ની છે. બહુમત માટે 112 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કોંગ્રેસના કુલ 22 સભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેમાંથી અધ્યક્ષે 6 સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. 16 ધારાસભ્યોના રાજીનામાને લઈને નિર્ણય લેવાનો હજુ પણ બાકી છે. આ સમયે કોંગ્રેસ પાસે હાલમાં 108 ધારાસભ્યો છે. 108માંથી 16 ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામા સોંપ્યા છે. જો તેમના રાજીનામા સ્વીકારાશે તો તેઓ અલ્પમતમાં આવી જશે.
ફ્લોર ટેસ્ટને લઈને સંશયની સ્થિતિ
કમલનાથના જણાવ્યા અનુસાર આજે પણ ફ્લોર ટેસ્ટને લઈને સંશયની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટનો આદેશ કમલનાથ સરકારને આપી દીધો છે. જેને પગલે કમલનાથે તેમના તમામ ધારાસભ્યોને ભોપાલ બોલાવી લીધા હતા અને બહુમત સાબિત કરવાના પણ તમામ પ્રયાસોને કામે લગાડ્યા હતા. અન્ય તરફ ભાજપ પાસે હાલમાં 107 ધારાસભ્યો છે. જેના કારણે તે ફ્લોર ટેસ્ટની માગ કરી રહ્યું છે. આ સાથે જ ભાજપના શિવરાજ સિંહ ચૌહાણે ફ્લોર ટેસ્ટને લઈને કહ્યું કે જ્યારે રાજ્યપાલે આદેશ આપ્યા છે તો પછી તેઓ શા માટે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર થતા નથી?
Shivraj Singh Chouhan, BJP: Governor has ordered government to conduct floor test in the assembly after his address. Chief Minister is saying it's up to the Speaker & not him,what happens in the assembly is decided by govt, Speaker works on what is decided by govt. #MadhyaPradeshhttps://t.co/ESYySII5txpic.twitter.com/1weTeKwuEd
બીજી તરફ, પૂર્વ મુખ્ય સચિવ (એસેમ્બલી) ભગવાન દેવ ઇસરાણી કે જેઓ વિધાનસભા બાબતોના નિષ્ણાત છે તેઓ કહે છે કે રાજ્યપાલે કલમ 175 (2) હેઠળ મુખ્યમંત્રીને ફ્લોર ટેસ્ટ માટે નિર્દેશ આપ્યો હોવા છતાં વિધાનસભા અધ્યક્ષને ગૃહની અંદર અધિકાર છે. અને તેઓએ નક્કી કરવાનું છે કે ફ્લોર ટેસ્ટ કરાવવો કે નહીં. આપવામાં આવેલા નિર્ણય અહીં કાર્યવાહી દરમિયાન બદલાય છે.
85 કોંગ્રેસી ધારાસભ્યોનો થયો કોરોના ટેસ્ટ
જયપુરથી ભોપાલ આવેલા 85 ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં 2 ધારાસભ્યોમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા હતા પણ હાલ સુધી તેની ખાતરી થઈ શકી નથી.