મધ્યપ્રદેશના ઇન્દોરમાં હોસ્પિટલની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઇન્દોર આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા 11 દર્દીઓએ આંખોની રોશની ગુમાવી દેતા સનસની ફેલાઇ ગઇ છે. હાલ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરી દેવાયું છે. સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
શું છે મામલો
ન્યૂઝ એજન્સી આઇએએનએસ (IANS) મુજબ, મોતિયાનું ઓપરેશન માટે ઇન્દોર આંખ હોસ્પિટલમાં 8 ઓગસ્ટે 'રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ' હેઠળ એક શિબિર લગાવામાં આવી હતી. જેમા દર્દીઓના ઓપરેશન થયા. ત્યારબાદ આંખોમાં દવા નાંખવામાં આવી, જેમા તેમને સંક્રમણ થયું. ધીરે-ધીરે એમની આંખોની રોશની ઠીક થવાને બદલે ચાલી ગઇ. તપાસ બાદ ડૉક્ટરોએ માન્યું કે દર્દીઓની આંખોમાં ઇન્ફેક્શન થઇ ગયું છે. પરંતુ તેનું કારણ ન બતાવી શક્યા.
MP Health Min: Patients to be given best treatment. I've ordered to cancel the license of the hospital. Patients to be provided compensation of Rs 20,000. FIR to be registered against those found guilty of negligence. 7-member committee has been formed to investigate the matter pic.twitter.com/1vzxiieEcZ
આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલની ઓટીને સીલ કરી દેવાયો છે. સાથે જ રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે. આ મામલાની તપાસ ઇન્દોર કમિશ્નરની આગેવાનીમાં સાત સભ્યોની કમિટી કરશે, જેમા ઇન્દોર કલેક્ટર સહિત સ્વાસ્થ્ય વિભાગના અધિકારી સામેલ છે. આ તપાસ રિપોર્ટને 72 કલાકની અંદર સબમિટ કરવાની રહેશે.
सभी मरीज़ों को अन्य अस्पताल में बेहतर चिकित्सा सुविधा उपलब्ध कराने से लेकर पीड़ित मरीज़ों की हरसंभव मदद करने के निर्देश।
इन सभी मरीज़ों के उपचार का ख़र्च शासन द्वारा वाहन करने के साथ ही ,प्रत्येक प्रभावित मरीज़ को 50-50 हज़ार की सहायता प्रदान करने के निर्देश।
2/2
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટે જણાવ્યું છે કે દર્દીઓનો યોગ્ય ઇલાજ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરવા સાથે પીડિત પરિવારને 20 હજાર રૂપિયાની તાત્કાલિક મદદ કરવામાં આવશે. આ મામલાની મુખ્યમંત્રી કમલનાથે ધ્યાનમાં લીધી છે. કમલનાથે ટ્વીટ કરી તેની જાણકારી આપી. એમણે કહ્યું કે પીડિત દર્દીઓની તમામ સંભવ મદદ કરવાના નિર્દેશ અપાયા છે. તમામ દર્દીઓના ઉપચારનો ખર્ચ સરકાર કરશે. તથા તમામ દર્દીઓને 50-50 હજારની મદદ આપવામાં આવશે.
આ પહેલો મામલો નથી, આ પહેલા ઇન્દોરની આ હોસ્પિટલમાં વર્ષ 2010માં મોતિયાના ઓપરેશન બાદ લગભગ 20 લોકોએ આંખોની રોશની ગુમાવી હતી.