મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઈંદરગંજ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 3 બાળકો અને 4 મહિલાઓના મોત થયા છે.
ગ્વાલિયરમાં ભીષણ આગ
3 બાળકો, 4 મહિલાઓના મોત
આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભીષણ આગ લાગી છે. સોમવારે ઈન્દરગંજ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓના મોત નીપજ્યાં છે. હજી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘટના સ્થળે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક અને વહીવટના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.
મળતી માહિતી અનુસાર ઈંદરગંજ વિસ્તારમાં અજ્ઞાત કારણોને લીધે પેઈન્ટની દુકાનમાં આગ લાગી હતી અને તેની ઉપરના માળનો પરિવાર આગમાં ફસાયો હતો. પરિવારના રેસ્ક્યૂ માટે પોલીસની તરફથી અભિયાન ચલાવ્યું અને સાથે જ તેમને બહાર કાઝવામાં આવ્યા છે. સાથે જ સાત શવને પણ બહાર કાઢવામાં આવ્યા છે.