મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી માથે છે એવામાં સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વીડિયો મારફતે જાહેરાત કરતા કહ્યું કે હવેથી રાજ્યમાં સરકારી નોકરીઓ માત્ર રાજ્યના મૂળનિવાસી યુવાનોને જ આપવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા મોટો નિર્ણય
રાજ્યમાં જેલ રક્ષકની ભરતી પહેલા નોકરીની મોટી જાહેરાત
જે રાજ્યના મૂળનિવાસી છે તે જ રાજ્યનું ભવિષ્ય બને : શિવરાજ સિંહ
મધ્ય પ્રદેશ સરકારની બધી જ નોકરીઓ હવેથી રાજ્યના લોકૉ માટે જ આરક્ષિત રાખવામાં આવશે અને તેના માટે જરૂરી કાયદાકીય ફેરફાર જલ્દી કરવામાં આવશે. એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. અમે એવા કાયદાકીય પગલાં ભરીશું જેનાથી મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીઓ માત્ર રાજ્યના યુવાનોને જ આપવામાં આવે. આ જાહેરાત તેમણે વીડિયો જાહેર કરીને આપી છે.
मेरे प्यारे भांजे-भांजियों! आज से मध्यप्रदेश के संसाधनों पर पहला अधिकार मध्यप्रदेश के बच्चों का होगा। सभी शासकीय नौकरियाँ सिर्फ मध्यप्रदेश के बच्चों के लिए ही आरक्षित रहेंगी। हमारा लक्ष्य प्रदेश की प्रतिभाओं को प्रदेश के उत्थान में सम्मिलित करना है।#MPjobs4MPstudentspic.twitter.com/f0DEkpAvxh
શિવરાજ ચૌહાણે કહ્યું કે યુવાનોનું ભવિષ્ય બેરોજગારી ભથ્થા પર જ ટકેલું રહે આ અમારું લક્ષ્ય નથી. જો અહિયાંના મૂળ નિવાસી છે તે જ અહિયાંની શાસકીય નોકરીઓમાં આવે અને રાજ્યનું ભવિષ્ય બનાવે આ મારું સ્વપન છે. મારા બાળકો, ખૂબ ભણો અને સરકારમાં સામેલ થઈને પ્રદેશનું ભવિષ્ય બનો.
યુવાનોમાં આનંદ
નોંધનીય છે કે આ મોટી જાહેરાત બાદ રાજ્યના યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં જેલ રક્ષકની ભરતી થવાની છે અને તેના માટે પરીક્ષાનું આયોજન પણ કરવાનું છે, આ ભરતીમાં મોટા પ્રમાણમાં યુવાનોએ આવેદન આપ્યા છે. એવામાં તૈયારી કરી રહેલા રાજ્યનાં મૂળ નિવાસી યુવાનો માટે સરકાર તરફથી એક સારા સમાચાર મળ્યા છે.
પેટાચૂંટણી પહેલા જાહેરાત
નોંધનીય છે કે રાજ્યમાં પેટાચૂંટણીનું આયોજન થવાનું છે અને માનવામાં આવી રહ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને જ સીએમ આ બધી લોભામણી જાહેરાત કરી રહ્યા છે. આ પહેલા જ્યારે રાજ્યમાં કોંગ્રેસની કમલનાથ સરકાર હતી ત્યારે ઉદ્યોગોમાં 70 ટકા રોજગારને સ્થાનિક લોકો માટે અનિવાર્ય કરવામાં આવ્યું હતું.