મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને મેદાંતા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ફેફસાં, કિડની અને લીવરમાં તકલીફને કારણે તેમને વેન્ટીલેટર પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લાલજી ટંડનનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલની તબિયત લથડી
મેદાંતા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર લઈ રહ્યા છે સારવાર
ફેફસાં, કિડની અને લીવરમાં તકલીફને કારણે વેન્ટીલેટર પર રખાયા
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રવિવારે લાલજી ટંડનની મુલાકાત લેવા મેદાતા પહોંચ્યા હતા. માહિતી અનુસાર, હવે લાલજી ટંડનને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ફેફસાં, કિડની અને લીવરમાં સમસ્યાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાલજી ટંડનનું ડાયાલિસિસ પણ થઈ રહ્યું છે
સારવારની સાથે લાલજી ટંડનનું ડાયાલિસિસ પણ થઈ રહ્યું છે. અત્યારે સ્થિતિ ગંભીર છે પરંતુ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સપાના નેતા અખિલેશ યાદવે પણ લાલજી ટંડન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. અખિલેશે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'વરિષ્ઠ રાજ્ય નેતા અને મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડનની ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.'
લાલજી ટંડનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
11 જૂને સવારે લાલજી ટંડનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ, પેશાબની તકલીફ અને તાવના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરતી વખતે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. સ્વાસ્થ્યમાં પહેલાથી ફરક જોવા મળ્યો હતો પરંતુ હવે તેઓને વેન્ટિલેટર મૂકવામાં આવ્યા છે. લાલજી ટંડન લખનઉથી સાંસદ અને ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
સ્વાસ્થ્ય તપાસ દરમિયાન તેમના લીવરમાં પણ સમસ્યાઓ હોવાનું જણાયું હતું., જેના માટે તેમની સીટી ગાઈડેડ પ્રોસિઝર કરવામાં આવી હતી. પ્રક્રિયા પછી પેટમાં લોહીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે તેમનું ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેને આઈસીયુના નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.