મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને સોમવારે રાજ્યપાલના અભિભાષણ બાદ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. લાલજી ટંડને નિર્દેશ આપ્યો છે, મધ્યપ્રદેશ વિઘાનસભાનું સત્ર 16 માર્ચ 2020એ સવારે 11 વાગ્યે પ્રારંભ થશે.
MPના રાજ્યપાલે CM કમલનાથને સોમવારે અભિભાષણ બાદ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવા નિર્દેશ આપ્યો
જો ભાજપ ફ્લોર ટેસ્ટ પાસ કરી જાય છે તો મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે?
જ્યારે રાજ્યપાલના અભિભાષણ બાદ એકમાત્ર કાર્ય વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. એવામાં જો કમલનાથ આ બહુમત પરીક્ષણમાં હારી જાય છે તો બીજેપીમાં આંતરીક લડાઇ વધી શકે છે.
જો ભાજપ ફ્લોર ટેસ્ટ પાસ કરી જાય છે તો મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે? મુખ્યમંત્રી પોસ્ટ માટે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ સૌથી આગળ છે. પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા તેમને પડકાર આપી રહ્યા છે. નરોત્તમ મિશ્રાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરનું નામ પણ સામે આવ્યું છે. તોમરે 22 કોંગ્રેસી ધારાસભ્યોને બળવાખોર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
તોમર અને મિશ્રાના નજીક નેતાઓનું માનવું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવામાં અન્ય કોઇને તક મળવી જોઇએ.
હવે જો શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પરત ફરે છે તો કથિત રીતે માનવામાં આવશે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમના પ્રત્યે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદને ખતમ કરી દીધો છે.
ડિસેમ્બર 2018માં મધ્ય પ્રદેશમાં ચૂંટણી બાદ ચૌહાણને વિશ્વાસ હતો કે તેઓ હજુ પણ સરકાર બનાવી શકે છે કેમકે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે માત્ર પાંચ બેઠકોનું અંતર હતું. પરંતુ અંતિમ પરિણામ જાહેર થયા પહેલા જ મોદી જી એ હાર માની લીધી હતી અને ચૌહાણનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ત્યારબાદ જોકે, ચૌહાણે સંકેત આપ્યો છે કે તેઓ રાજ્યની રાજનીતિમાં સક્રિય રહેવા ઇચ્છે છે. પરંતુ ભાજપના નેતૃત્વે ગોપાલ ભાર્ગવની વિધાનસભા દળના નેતા તરીકે નિમણૂક કરી હતી.
વર્ષ 2014માં ભાજપનું નેતૃત્વ કરવા માટે અને ઓબીસી ચહેરા રૂપે મોદીને પડકાર આપવા માટે લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજે શિવરાજ સિંહ ચૌહાણનું નામ લીધું હતું. જેના માટે મોદી-શાહની જોડીએ તેઓને માફ નહોતા કર્યા.