ભોપાલ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તમામ 230 બેઠકનું પરિમામ જાહેર થઈ ચૂક્યું છે.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાં કમલનાથ છે. ત્યારે આજે કમલનાથે નવનિયુક્ત ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ભોપાલમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજે ચાર વાગે આ બેઠક યોજાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા દિગ્વિજય સિંહ દિપક બાબરીયા અને વિવેક તન્ખા સહિત કોંગ્રસેના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
Kamal Nath Congress in Bhopal: With utmost happiness I wish to inform you that Congress has won clear majority. We have written a letter to the Governor to invite us so that we can prove our majority before him. #MadhyaPradeshElections2018pic.twitter.com/sgccRiYUXi
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આ બેઠકમાં નવનિયુક્ત ધારાસભ્યોને હોર્ષ ટ્રેડિંગથી બચવા માટે માહિતી પણ આપવામાં આવશે. એટલું જ નહીં ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસ પોતાની આગામી રણનીતિ પણ નક્કી કરશે.
જો કે મધ્યપ્રદેશમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોંગ્રેસ સરકાર બનાવવા માટે દાવો કરી રહી છે. જેના પગલે સરકાર બનાવવા માટે કોંગ્રેસે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સમય માગ્યો છે. પરંતુ રાજ્યપાલે કહ્યું કે પરિણામ આવ્યા બાદ મુલાકાત થશે.