મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ કમલનાથ સરકાર પર ખતરો વધી ગયો છે. પરંતુ મહારાષ્ટ્રમાં આવી કોઇ ખતરનાક સ્થિતિ નથી. રાજ્યમાં ત્રણ પક્ષની મહાવિકાસ અઘાડી સરકારના શિલ્પકાર NCP સુપ્રીમો શરદ પવારે આ અંગનો દાવો કર્યો છે.
સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ કમલનાથ સરકાર પર સંકટ
મહારાષ્ટ્રમાં આવી કોઇ ખતરનાક સ્થિતિ નહીં, પવારનો દાવો
પવારે કહ્યું કોંગ્રેસ હાઇકમાન્ડે સિંધિયા સાથે ચર્ચા કરવાની હતી જરૂર
શરદ પવારે કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સક્ષમ નેતા છે, જનતાને તેમના પર વિશ્વાસ છે. શરદ પવારે બુધવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું. ત્યારબાદ વિધાનસભા ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મધ્યપ્રદેશની સરખામણીએ મહારાષ્ટ્રમાં સ્થિતિ ઘણી સારી છે.
મધ્યપ્રદેશ સરકારને લઇને આશંકા છે, પરંતુ હવે એ જોવાનું રહેશે કે મુખ્યમંત્રી કમલનાથ તેને લઇને શું પગલા લે છે. શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ હાઇ કમાન્ડે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ચર્ચા કરવાની જરૂર હતી.
શરદ પવારે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કામકાજની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ બધાને સાથે લઇને ચાલી રહ્યાં છે એટલા માટે મધ્યપ્રદેશની રાજકીય ઘટનાક્રમની અસર મહારાષ્ટ્રમાં જોવા નહીં મળે. જો કે વિપક્ષી દળ ભાજપ તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ પક્ષોની અઘાડી સરકાર વધારે દિવસ ટકી શકશે નહીં.
MP નો વોયરસ મહારાષ્ટ્રમાં નહીં ઘુસેઃ સંજય રાઉત
મધ્યપ્રદેશના રાજકીય ઘટનાક્રમ પર શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટ કરી કહ્યું કે મહાવિકાસ અઘાડી માટે ચિંતાની કોઇ વાત નથી. મધ્યપ્રદેશનો વાયરસ મહારાષ્ટ્રમાં નહી ઘૂસે. સંજય રાઉતે કહ્યું કે 100 દિવસ પહેલા એક અભિયાન નિષ્ફળ ગયું હતું.