ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગૌમૂત્રને લેવા માટે લોકોને અપીલ કરી છે. તેઓએ કહ્યું કે તેના અર્કથી ફેફસાનું ઈન્ફેક્શન દૂર થાય છે. હું પોતે લઉં છું અને મને કોરોના થયો નથી.
ગૌમૂત્ર લેવાથી નથી થતું ફેફસાનું ઈન્ફેક્શનઃ સાધ્વી પ્રજ્ઞા
સાધ્વી પ્રજ્ઞાએ કહયું કે દરેક લોકોએ દેશી ગાય પાળવી જોઈએ. આ સિવાય તેઓએ કહ્યું કે 1 કરોડ છોડ વાવશે. ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર સંત નગરમાં 25 ઓક્સીજન કંસન્ટ્રેટર ડોનેટ કરવા પહોંચ્યા ત્યારે આ વાત કરી હતી. તેઓએ કોરોનાની ઘડીમાં સૌને સાવધાની રાખવાની અપીલ કરી હતી અને સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી.
સાધ્વી પ્રજ્ઞાનો સ્ટાફ થયો હતો કોરોના સંક્રમિત
મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યામાં કોરાનાથી હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના બંગલાનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો હતો.
मेरे भोपाल आवास 74 बंगले पर सभी कोरोना पॉजिटिव हो गए हैं कुछ लोग हॉस्पिटल में है और कुछ आवास पर हीQuarantine हैं।मुझे आप सबकी चिंता है। मैं आपके लिए सदैव सेवा में तत्पर हूं। अनावश्यक घर से ना निकलें स्वस्थ रहें अपने, अपनों के लिए। मास्क लगाएं वेक्सीन लगवाएं सुरक्षित रहें।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) May 1, 2021
આવી છે મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિ
મધ્યપ્રદેશમાં એક મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7571 નવા કેસ આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં પોઝિટિવિટી રેટ 18 ટકાથી 11 ટકા થયો છે. સારી વાત તો એ પણ છે કે રાજ્યના 5 જિલ્લા દતિયા, ભિંડ, મુરૈના, અશોકનગર અને ગુનામાં 50થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 7 લાખ 24 હજાર 279 કેસ આવી ચૂક્યા છે. તેમાંથી 6 લાખ 17 હજાર 396 લોકો સાજા થયા છે. મોતની વાત કરીએ તો કુલ 6913 લોકોના મોત થયા છે.
હજુ પણ આ જગ્યાઓએ કાયમ છે લોકડાઉનની સ્થિતિ
વધતા કેસને લઈને 13 જિલ્લામાં લોકડાઉન કાયમ છે. રાયસેન, રીવા, સાગર અને વિદિશામાં 31મે સુધી લોકડાઉન છે તો અન્ય જગ્યાઓએ 24 મે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.