મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત રાજ્ય સ્તરના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ધ્વજ લહેરાવ્યો. આ સાથે જ અહીં તેઓએ સંબોધન કર્યું જેમાં ગરીબો અને દીકરીઓ પર ભાર મૂક્યો હતો. અહીં એક જાહેરાતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે હવે પ્રદેશમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ દીકરીઓની પૂજાથી શરૂ કરાશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત
દીકરીઓની પૂજાથી થશે કાર્યક્રમની શરૂઆત
સસ્તી વીજળી અને રાશનને લઈને પણ કરી જાહેરાત
મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ કાર્યક્રમમાં સરકારની ઉપલબ્ધિઓની પણ જાણ કરી. તેઓએ જાહેરાત કરી કે ગેરકાયદેસર રીતે વધારે વ્યાજ સાથે સાહુકારો અને ગરીબોને 15 ઓગસ્ટ સુધી આપવામાં આવેલું તમામ ઋણ માફ કરાશે. તેને માટે જલ્દી જ નિયમ બનાવાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે છેવાડાના વર્ગને માટે આરક્ષણને 14 ટકાથી વધારીને 27 ટકા કરાશે. સરકાર મજબૂતી સાથે ન્યાયાલયમાં પોતાનો પક્ષ મૂકશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ફ્રીમાં અનાજ આપવું, મેઘાવી વિદ્યાર્થીઓને માટે ફ્રીમાં અભ્યાસ અને લેપટોપ આપવા, આધુનિક સુવિધાઓથી સજ્જ સીએમ રાઈઝ સ્કૂલ, મહિલા અને સ્વયં સહાયતા સમૂહને 4 ટકાના દરે વ્યાજ પર 1300 કરોડ રૂપિયાથી વધારે રકમ આપવી. એક જિલ્લા એક ઉત્પાદના સિધ્ધાંત પર જિલ્લાની બ્રાંડિંગ કરવાની જાહેરાત પણ કરી.
પોલીસ કર્મીઓને આપ્યો આ લાભ
મુખ્યમંત્રીએ પોલીસ કર્મીઓ માટે ભોપાલમાં 50 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે 2023 સુધી દરેક ઘરમાં નળની મદદથી પાણી પહોંચાડવાની યોજનાના આધારે એક કરોડ ઘર સુધી નળ કનેક્શન આપવાનું લક્ષ્ય તૈયાર કરાયું છે. તેઓએ નાગરિક સુવિધાઓ ઓનલાઈન આપવાની જાહેરાત કરી છે અને કહ્યું કે નર્મદા એક્સપ્રેસ વેથી નર્મદાંચલમાં ઉદ્યોગ, ઈકો ટૂરિઝમ અને ધાર્મિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.
દીકરીઓ અને ગરીબોને માટે આ ખાસ યોજના
સીએમએ નવા ઉદ્યોગની સ્થાપના મામટે સ્ટાર્ટ યોર બિઝનેસ ઈન થર્ટી ડેઝ યોજનાની જાહેરાત કરી. તેઓએ પ્રદેશના નાગરિકોના સિંગલ સિટિઝન ડેટાબેઝ તૈયાર કર્યો. ગ્રામીણને આવાસીય ભૂખંડ પર માલિકી હત, કર્મચારીઓને દરેક મળવા જોઈતા લાભ મળશે. દીકરીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં લાડલી લક્ષ્મી યોજનાના આધારે 78 હજારથી વધારે ઈ સર્ટિફિકેટ જાહેર કર્યા છે. પીએમ માતૃવંદના યોજનાના આધારે 5 લાખ 9 હજારથી વધારે બેંક ખાતામાં 84 કરોડ રૂપિયાથી વધારેની રકમ આપવામાં આવી છે.
સીએમએ કહ્યું કે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના પણ સંચાલિત કરાઈ છે. તેઓએ કહ્યું કે મહિલા અને દીકરીઓની વિરુદ્ધમાં અપરાધ કરનારા માટે ઝીરો ટોલરન્સની નીતિ રહેશે. અપરાધ કરનારા માનવતાના દુશ્મન છે. તેમને કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કોરોના સમયમાં સસ્તી વીજળી આપવાની જાહેરાત પણ કરી હતી.