મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયા અને મંત્રી પદની લાલચ આપવામાં આવી રહી છે.
એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં સીએમ કમલનાથે કહ્યું કે વિધાયકો સાથેની બેઠકમાં ઓછામાં ઓછા 10 એમએલએ બતાવ્યું કે તેમને પાર્ટી બદલવા માટે કહેવામાં આવી રહ્યું છે. વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે. ભાજપની સાથે આવવા માટે લાલચ આપવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસ વિધાયક અડગ છે અને કોઇ વિધાયક બેઇમાન નથી.
કમલનાથે કહ્યું કે, 'કોંગ્રેસ વિધાયકોને 10 કરોડ રૂપિયા, 20 કરોડ રૂપિયા, 25 કરોડ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી રહી છે. તેમને મંત્રી પદ માટે લાલચ આપવામાં આવી રહી છે. એ (BJP) અમારા વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ મને કોંગ્રેસના તમામ વિધાયકો પર વિશ્વાસ છે. બસપા-સપા અને અપક્ષ વિધાયક પણ અમારી સાથે છે. કોઇ ક્યાંય જઇ રહ્યું નથી.'
આ દાવાની સત્યતા અંગે પૂછવા પર કમલનાથે ક્હ્યું કે, '15 મિનિટ પહેલા જ એક વિધાયક મારી પાસે આવ્યા. એમણે બતાવ્યું કે તે લોકો સંપર્ક કરી રહ્યા છે. વાતચિત માટે બોલાવાઇ રહ્યા છે. એમણે અમારા વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ એમને એ જાણી લેવું જોઇએ કે કોંગ્રેસ વિધાયક બેઇમાન નથી. અપક્ષ વિધાયક પણ બેઇમાન નથી.
\
આપને જણાવીએ કે 230 સીટ વાળા મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે 116 સીટની જરૂરી છે. વર્તમાન ભાજપ પાસે 109 વિધાયક છે. અને કોંગ્રેસ પાસે 114 વિધાયકો સાથે સૌથી મોટી પાર્ટી છે. પ્રદેશમાં બસપાના 2 અને સપાના એક વિધાયક સાથે 4 અપક્ષ વિધાયકોના સમર્થનથી કમલાનાથની સરકારની રચના કરાવામાં આવી છે.