મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે (Kamal Nath) શુક્રવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. મધ્યપ્રદેશમાં નવા અધ્યક્ષના મુદ્દા પર એમણે સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે વાતચીત કરી. કમલનાથે કહ્યું, સોનિયા ગાંધી સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ.
મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, એમની સાથે મધ્યપ્રદેશના સંગઠન પર પણ વાતચીત થઇ. હું છ મહીનાથી પ્રયાસ કરી રહ્યો છું કે, મધ્યપ્રદેશમાં નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે.
કમલનાથે કહ્યું, લોકસભા ચૂંટણી બાદ પણ મેં કહ્યું હતું કે નવા અધ્યક્ષ બનાવવામાં આવે. કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોઇપણ જાતનો તકલીફ હોવાથી ઇનકાર કર્યો.
સોનિયા ગાંધીના નિવાસ પર મુલાકાત બાદ કમલનાથ, જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હોવાની સાથે કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ પણ છે. પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ''મને નથી લાગતું, જ્યોતિરાદિત્ય સિંધિયા નાખુશ છે...'
મધ્યપ્રેદશના મુખ્યમંત્રીએ કહ્યું કે સોનયા ગાંધી સાથે મુલાકાતમાં પ્રદેશ સંગઠન પર ચર્ચાની સાથે-સાથે એ વાત પર પણ વિચાર વિમર્શ થયો કે લોકસભા ચૂંટણી બાદ નવા પ્રદેશાધ્યક્ષ નિયુક્ત કરવા જોઇએ. એમણે કહ્યું, હું આ વાત ઘણી વાર કહી ચૂક્યો છું.
એ પૂછવા પર કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટોચના પદ ન આપવાની સ્થિતિમાં 'અન્ય વિકલ્પ શોધવા'ની ધમકી આપી હતી. કમલનાથે કહ્યું, 'મને નથી લાગતું, આ યોગ્ય છે, અને મને નથી લાગતું, એમણે કોઇથી નારાજ છે.'