પી. ચિદમ્બરમ, ડી. કે. શિવકુમાર જેવા કોંગ્રેસ નેતાઓને તપાસ એજન્સીઓને સકંજામાં લીધા છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલાનાથની પણ મુશ્કેલીઓ પણ વધી શકે છે. પહેલાથી જ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદને સાથે લડી રહેલા કમલનાથ માટે વધુ એક ખરાબ સમાચાર છે. ગૃહમંત્રાલય તેમના વિરૂદ્ધ 1984 શીખ વિરોધ રમખાણ મામલાને ફરી વખત ખોલવા જઇ રહ્યું છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની મુશ્કેલીમાં વધારો વધારો થઈ શકે છે. વર્ષ 1984ના શીખ રમખાણો મામલે તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 2015માં રચાયેલ SIT (Special Investigation Team) એ રમખાણો સાથે જોડાયેલ ફાઇલો ફરીથી ખોલવાની નોટિફિકેશન રજૂ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિરૂદ્ધ 1984ના શીખ રમખાણ મામલાને ફરી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શિરોમણી અકાળી દળના દિલ્હીના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ સોમવારે આ જાણકારી આપી હતી.
શીખોના નરસંહારમાં કમલનાથ કથિત રીતે સામે હોવાના મામલાને SITએ ફરી ખોલ્યો
સિરસાએ એક ટ્વીટ કરીને કહ્યું કે અકાળી દળ માટે એક મોટી જીત છે. 1984માં શીખોના નરસંહારમાં કમલનાથ કથિત રીતે સામે હોવાના મામલાને SITએ ફરી ખોલ્યો છે. ગત વર્ષ મેં ગૃહ મંત્રાલયને અપીલ કરી હતી જ્યાર બાદ મંત્રાલયે કમલનાથ વિરૂદ્ધ તાજા પુરાવાઓ પર વિચાર કરતા કેસ નંબર 601/84ને ફરી ખોલવાનું નોટિફિકેશન રજૂ કર્યું છે.
A big Victory for @Akali_Dal_
SIT Opens case against @OfficeOfKNath for his alleged involvement in 1984 Sikh genocide
સિરસાએ બીજા એક ટ્વીટમાં લખ્યું કે, કેસ ફરી વખત ખોલવા બદલ SITનો આભાર માનું છું. જે સાક્ષીઓએ કમલનાથને શીખની હત્યા કરતા જોયા હતા, તે લોકોને મારી અપીલ છે કે તેઓ આગળ આવે અને સાક્ષી બને. ડરવાની તેમને કોઇ જરૂર નથી.
I wholeheartedly thank @AmitShah Ji for taking concrete steps to ensure Legal action against highy & mighty @InCIndia leaders involved in Sikh genocide
Victims of 1984 Carnage are waiting for justice
Initiating legal action against @OfficeofKnath would heal wounds of 1984 @ANI
સિરસાએ મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો કે કમલનાથ સામે બે સાક્ષીઓ લેખિત નિવેદન આપવા તૈયાર છે. સિરસાએ સાક્ષીઓની સુરક્ષા માટેની પણ માગ કરી છે. મનજિંદર સિરસાએ કહ્યું કે સજ્જન કુમારની જેમ કમલનાથની હાલત થશે.
મહત્વનું છે કે, 2018ના મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે પણ તેમના વિરૂદ્ધ 1984 શીખ વિરોધ રમખાણોના આરોપોનો મામલો ઉઠાવ્યો હતો.