મધ્યપ્રદેશના છતરપુરમાં સોમવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા, બાળકો સહિત કુલ 8 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ દુ:ખદાયક માર્ગ અકસ્માત જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમાં બન્યો હતો, જેમાં 4 બાળકો, 2 મહિલાઓ અને 2 પુરુષોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત
8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયાં છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચંદ્રનગરથી છત્રપુર તરફ ત્રણ લોકો મોટરસાયકલ પર આવી રહ્યા હતા. ત્યાં અચાનક જ પૂરપાટ ઝડપથી આવી રહેલી સ્કોર્પિયોએ ત્રણ બાઇકોને જોરદાર ટક્કર મારી હતી.
Madhya Pradesh: 8 people killed in a collision between 3 motorbikes and a car on Panna road in Chandranagar.
આ ટક્કર એટલી જોરદાર હતી કે લાશનો ઢગલો રસ્તા પર થયો હતો. આ અકસ્માતમાં ચાર બાળકો, બે મહિલાઓ અને 2 પુરુષોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક આરોગ્ય વિભાગ અને અને પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખસેડવામાં આવ્યા હતા.