કોરોનાની લડાઈની વચ્ચે મધ્ય પ્રદેશના રાજકીય હલચલના સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર મંગળવારે શિવરાજ સરકારના મંત્રિમંડળના કેટલાક સભ્યોનું શપથગ્રહણ થઈ શકે છે.
સ્વાસ્થ્ય, ગૃહ અને રાજસ્વ વિભાગ પ્રાથમિક્તામાં રહેશે
બપોર સુધીમાં શપથ ગ્રહણ થવાની સંભાવના છે
સામાજિક સમીકરણના સ્તર પર પ્રતિનિધિત્વ આપવાની શક્યતા
જાણવા મળ્યું છે કે 5 મંત્રી શપથ લઈ શકે છે. મંગળવારે બપોર સુધીમાં તેમના શપથગ્રહણ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને તે સમયે જ વિભાગોની વહેંચણી કરવામાં આવશે. સ્વાસ્થ્ય, ગૃહ અને રાજસ્વ વિભાગ પ્રાથમિક્તામાં રહેશે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ વિધાનસભામા કુલ 230 સીટ છે. આ હિસાબે સરકારમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 35 ધારાસભ્યો મંત્રી બની શકે છે. શિવરાજની સરકારમાં સામાજિક સમીકરણ અને ક્ષેત્રીય સંતુલન સાધવાની કવાયદ થશે. ક્ષેત્રીય સ્તર પર પ્રદેશના તમામ સંભાગો(મંડળો)માંથી મંત્રી બન્યા બાદ સામાજિક સમીકરણના સ્તર પર ક્ષત્રિય, બ્રાહ્મણ, પછાત, અનુસુચિત જાતી અને આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ આપવાની શક્યતા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન કોરોનાની લડાઈમાં એકલા જ સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે. ભોપાલ અને ઈન્દોર જેવા મહાનગરોમાં કોરોના વધતા પ્રકોપથી હાલત ખરાબ થઈ રહી છે. ત્યારે કોરોના વાયરસના બહાને કોંગ્રેસ શિવરાજ સરકાર પર હુમલો કરી રહી છે. કોરોનાને લઈને રાજકારણ ગરમાયુ છે. પૂર્વ સીએમ કમલનાથ પહેલા કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર અનેક આરોપો લગાવી ચૂક્યા છે.