મધ્યપ્રદેશના સિવની જિલ્લાના છપારા વિકાસખંડના એક ગામમાં સ્મશાનમાં ગયેલા 50થી વધારે લોકો પર મધમાખીઓના ઝુંડે હુમલો કરી દીધો. આ હુમલામાં ઘાયલ થયેલા લગભગ 12 લોકો બેભાન થઇ ગયા. આ લોકો ગામની એક મહિલાના અંતિમ સંસ્કાર કરવા ગયા હતા.
સ્મશાનમાં ગયેલા 50થી વધારે લોકો પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો
મધમાખીઓના હુમલામાં 12 લોકો બેભાન થઇ ગયા
ગામની એક મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા
છપારા વિકાસખંડના ગોરખપુર ગામમાં સોમવારે એક મહિલાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સ્મશાન ગયેલા 50થી વધારે લોકો પર મધમાખીઓએ હુમલો કરી દીધો. મધમાખીઓના હુમલામાં 12 લોકો બેભાન થઇ ગયા. જેમને નજીકના જ સ્વાસ્થ્ય કેન્દ્ર છપારામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
ગોરખપુર ગામના સરપંચ રામદયાલ ઇડપાચે, હરચંદ ડહેરિયા, કેસરી ઉઇકે વગેરે જણાવ્યું કે ગ્રામીણ આદિવાસી પરિવારની મહિલાના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગયા હતા.
આ દરમિયાન અચાનક મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કરી દીધો. મધમાખીઓનું આ ઝુંડ ક્યાંથી અને કેવી રીતે આવ્યું એ કોઇ ન સમજી શક્યું. સરપંચે જણાવ્યું કે મધમાખીઓના ગયા બાદ જ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવી શક્યા.