નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દેશની આઝાદીથી અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીને ખોટું બોલવાની એટલી જબરદસ્ત પ્રેક્ટિસ છે કે તેમને હવે ખોટું બોલવા અને ખોટું ફેલાવવામાં મહારથ મળી ગઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કહે છે ગુંડા ચાલશે બેઇમાન ચાલશે અને ભ્રષ્ટાચારી ચાલશે... મારે કોઇ પણ ઉમેદવાર ચાલશે... બસ જીતનાર હોવો જોઇએ. પીએમ મોદીએ જનતાને સવાલ કર્યો કે જે લોકોને ગુંડા બેઇમાન ભ્રષ્ટાચારોને પસંદ કર્યા છે શું આવા લોકોના હાથમાં મધ્ય પ્રદેશ આપવું જોઇએ?
ગત શુક્રવારે નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ચૂંટણી અભિયાન આરંભ્યું. રવિવારે એક તરફ પ્રધાનમંત્રી પ્રચાર કરશે તો બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ચૂંટણી રેલીઓ કરી લોકોને સંબોધિત કરશે. શુક્રવારે શહડોલમાં મોદીએ પહેલી વાર નોટબંધીને લઇને સ્પષ્ટતા આપી અને કહ્યું કે ચાર પેઢીથી સંતાડેલી કમાણી કાઢીને બેંકો સુધી આવી ગઇ છે અને તેનાથી દેશમાં વિકાસ કર્યો થઇ રહ્યા છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે શુક્રવારે શહડોલ જિલ્લામાં પહોંચેલા પીએમ મોદીએ નોટબંધીથી થયેલ ફાયદાઓ ગણાવ્યા. તેણમે કહ્યું કે દેશ હોય કે મધ્ય પ્રદેશ તમામ જગ્યાએ રોડ બની રહ્યા છે શૌચાલય બની રહ્યા છે આઇઆઇટી આઇઆઇએમ અને એમ્સ ખુલી રહ્યા છે લોકો સમજી નથી શકતા કે મોદી આટલા ઓછા સમયમાં આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા. આ પૈસા તે લોકોના છે જેમણે ચાર પેઢીથી ઘરમાં છુપાવી રાખ્યા હતા નોટબંધીના કારણે આ રકમ બેંકોમાં આવી ગઇ. આ રૂપિયા તમારા(જનતા) છે.