મધ્યપ્રદેશમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી 19 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જેમાં કેટલીક બેઠકો પર જીત જાહેર કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ નેતાએ EVM પર ઠીકરું ફોડ્યું છે.
મધ્યપ્રદેશની 28 વિધાનસભાની સીટનું આજે પરિણામ
3 નવેમ્બરે થયું હતું આ સીટ માટેનું મતદાન
મધ્યપ્રદેશમાં કમલનાથ નહીં કમળ પર લોકોનો વિશ્વાસ
મધ્યપ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે ચૂંટણી વલણો દર્શાવી રહ્યા છે કે ભાજપની જીત નક્કી છે. મધ્યપ્રદેશ ભાજપમાં જશ્નનો માહોલ છે. કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે.
ચૂંટણીના પરિણામ બાદ મધ્યપ્રદેશના CM શિવરાજસિંહનું નિવેદન
શિવરાજસિંહે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાના અથાગ પ્રયત્નનું આ પરિણામ છે. ભાજપની એકજૂટતાનું પરિણામ છે. મંત્રીમંડળ, વિધાનસભાના પ્રભારી અને તમામ કાર્યકરોના પરિશ્રમનો વિજય છે.
મધ્યપ્રદેશમાં બહુમતીથી ભાજપની સરકાર બનાવા જઈ રહી છેઃ નરોત્તમ મિશ્રા
મધ્યપ્રદેશ ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ વલણ પર સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ દાવો કર્યો કે, મધ્યપ્રદેશમાં બહુમતીથી ભાજપની સરકાર બનાવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે ગુમાવવા માટે કંઈ હતું જ નહીં. જે ગુમાવી રહ્યા છે એમને પૂછવાની જરૂર છે.
કમલનાથે લોકો સાથે દગો કર્યોઃ કૈલાશ વિજય વર્ગીય
મધ્યપ્રદેશની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે ભાજપના નેતા કૈલાશ વિજય વર્ગીયએ નિવેદન આપ્યું કે, કમલનાથે લોકો સાથે દગો કર્યો છે. ખેડૂતોના દેવા માફીનો વચન પૂર્ણ ન કર્યું. લોકોમાં કોંગ્રેસ સામે આક્રોશ પહેલેથી જ હતો.
જ્યોતિરાદિત્ય ગદગદ
ભાજપની જીત બાદ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના બધા જ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી કહ્યું કે દેવતુલ્ય મતદાતાઓનો હૃદયથી આભાર, મને વિશ્વાસ છે કે બધા જ વિજયી ઉમેદવાર જનસેવા અને વિકાસ માટે તત્પર રહેશે.
દિગ્વિજય ગિન્નાયા
મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી કેટલીક બેઠકો પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે દિગ્વિજય સિંહે EVMથી છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એવું નથી કે EVM સાથે છેડછાડ થઇ શકે નહીં, કેટલાય સ્થાનો પર છેડછાડ કરવામાં આવી છે અને આ એવી બેઠકો છે જે અમે કોઈ પણ સ્થિતિમાં ક્યારેય હાર્યા નથી પણ હજારો મતથી પાછળ ચાલી રહ્યા છે.
EVMs are not tamper-proof, and selective tampering is done. There are seats that we would have not lost in any circumstance but we did by thousands of votes. We'll hold a meeting tomorrow & analyse the results: Congress leader Digvijaya Singh #MadhyaPradeshbyelectionpic.twitter.com/m0xvCcHdzG
બિહારમાં બપોર સુધીની મતગણતરી બાદ હાલમાં ભારતીય જનતા પાર્ટી 20 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી 7 બેઠકો પર આગળ દેખાઈ રહી છે, બસપા એક બેઠક આગળ છે.
મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું રાજ્યની જનતાએ ફરીવાર વિકાસ અને જનકલ્યાણ માટે ભાજપને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
राज्य की जनता ने एक बार फिर विकास और जनकल्याण के लिए संकल्पित @BJP4MP को मध्यप्रदेश की जिम्मेदारी सौंपने का निर्णय ले लिया है। यह स्पष्ट दिखाई दे रहा है।
ByPollResults: Bharatiya Janata Party takes lead on 6 seats and Congress on 2 seats out of the 28 #MadhyaPradesh Assembly seats, as per Election Commission trends
શરૂઆતી રુઝાનમાં ભાજપ 9 સીટથી આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ ફક્ત 1 સીટ પર આગળ ચાલી રહી છે. ડબરાથી ભાજપની ઈમરતી દેવી 500 વોટથી આગળ છે. બ્યાવરાથી ભાજપના નારાયણ સિંહ પવાર 1000 વોટથી આગળ છે. તો સાંવેરથી ભાજપના તુલસી સિલાવટ આગળ ચાલી રહ્યા છે. હાટપિપલ્યાથી કોંગ્રેસના કમલ સિંહ પટેલ આગળ ચાલી રહ્યા છે.
ByPollResults: Bharatiya Janata Party takes lead on five out of the 28 #MadhyaPradesh Assembly seats, as per Election Commission trends https://t.co/yhCTh3ZQwd
ध्य प्रदेश: ग्वालियर के एक मतगणना केंद्र पर सुरक्षा के पुख्ता इंतजाम किए गए हैं। मध्य प्रदेश की 28 विधानसभा सीटों पर हुए उपचुनाव के नतीजों की घोषणा आज होगी। pic.twitter.com/wiZPNSrJgo
મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 સીટ છે. અત્યારે દમોહથી ધારાસભ્ય રાહુલ સિંહના રાજીનામા બાદ બહુમતિ સાબિત કરવાનો વારો 229 સીટ પર છે. આ કારણે બહુમતનો આંક 115 રહેશે. ભાજપ પાસે 107 ધારા સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 87 ધારાસભ્યો છે.
એક્ઝિટ પોલમાં ભાજપને મળી છે જીત
એક એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 16-18 સીટ મળવાનું અનુમાન છે. આ સાથે જ કોંગ્રેસને 10-12 સીટ મળે તેવું અનુમાન છે. MPમાં 3 નવેમ્બરે મતદાન થયું હતું. પરિણામની જાહેરાત આજે કરાશે. આ માટે ભાજપને સત્તામાં બની રહેવા માટે ઓછામાં ઓછી 8 સીટ જીતવાની રહેશે.
MPની 28 બેઠકો પર થઈ હતી ચૂંટણી
મધ્યપ્રદેશની 28 વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામોની આજે જાહેરાત થશે. સવારે 8 વાગે વોટની ગણતરી કરાશે. પરિણામો નક્કી કરશે કે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર બચશે કે પછી કમલનાથની સરકાર આવશે. પરિણામોને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેના પોતાના અલગ અલગ દાવા છે.