મધ્યપ્રદેશના હિલ સ્ટેશન પચમઢીમાં 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર છે. જ્યાં નવરાત્રીમાં વાઘ માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિર સાથે જોડાયેલા ચમત્કારી કિસ્સા ખૂબ ફેમસ છે.
મધ્યપ્રદેશમાં આવેલું છે માતાજીનું મંદિર
પચમઢીમાં છે 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર
સંતાન સુખ આપે છે માતાજી
નવરાત્રીમાં દેવી ભક્ત રોજ મંદિરમાં માતા અંબાના દર્શન-પૂજન કરવા આવે છે. ત્યાં જ દેશના પ્રમુખ દેવી મંદિરોમાં તો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. પછી તે વૈષ્ણો દેવી મંદિક હોય કે મનસા દેવી મંદિર. ઘણા પ્રાચીન મંદિરોમાં પણ ભક્ત દૂર-દૂરથી પહોંચે છે. જે પોતાના ચમત્કારો અને મનોકામના પૂર્તિ માટે જાણીતા છે.
એવું જ એક મંદિર મધ્ય પ્રદેશના હિલ સ્ટેશન પંચમઢીમાં છે. પંચમઢીમાં 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકોની ભીડ પોતાની મનોકામના લઈને પહોંચે છે.
ઉંધા સિંહ પર બેઠી છે માતા બગુલામુખી
હિલ સ્ટેશન પંચમઢીથી એક પ્રાચીન અંબા માઈ મંગિરમાં ચૈત્ર નવરાત્રીમાં ભક્તોની ભીડ લાગે છે. અહીં 9 દિવસ સુધી અનુષ્ઠાન થાય છે. ખાસ સંતાન સુખ મેળવવાની મનોકામના લઈને દૂર દૂરથી લોકો આવે છે.
આ મંદિરમાં દેવીમાં ઉંધા સિંહ પર બેઠા છે અને આ કારણે ખાસ તાંત્રિકોની આસ્થા તેમના પર ખૂબ વધારે છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં તાંત્રિક આવીને પૂજા પાઠ કરે છે.
વાઘ આવે છે માતાના દર્શન કરવા
આના કરતા પણ મોટા ચમત્કારની વાત કરવામાં આવે તો પચમઢીના એક મંદિરમાં વાઘ માતાજીના દર્શન કરવા આવે છે. દર વર્ષે નવરાત્રીમાં ઓછામાં ઓછા એક વખત મંદિરમાં આવે છે અને માતાજીના દર્શન કરે છે.
નવરાત્રીમાં દર્શન કરવા આવેલા વાઘોને અહીં હજારો લોકો જોઈ ચુક્યા છે. કમાલની વાત એ છે કે ખતરનાક જંગલી પ્રાણી કોઈને નુકસાન નથી પહોંચાડતા અને માતાજીના દર્શન કરીને જતા રહે છે.
સંતાન સુખનું મળે છે વરદાન
અંબા માતા મંદિરને લઈને માન્યતા છે કે અહીં સંતાન મેળવવા માટે માતાજી પાસે માંગેલી ઈચ્છા જરૂર પુરી થાય છે. નિઃસંતાન દંપત્તી અહીંથી નિરાશ થઈને નથી ફરતા. ત્યાં જ ઈચ્છા પુરી થવા પર લોકો અહીં ફરીથી પ્રસાદ ચડાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે.