મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના પૃથ્વીપુર વિસ્તારમાં બુધવારે 3 વર્ષીય બાળક એક બોરવેલમાં પડી જતાં તેને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પૃથ્વીપુરના સેતુરાબરાહમાં એક ખુલ્લા બોરવેલમાં બાળક પડી જતાં તેને બચાવવા માટે સેનાએ કમર કસી છે. નિવાડી જિલ્લાના એડિશનલ એસપીએ જણાવ્યું કે, બચાવ દળને બાળકને અવાજ સાંભળવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ બનાવને પગલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઓરછાના સેતપુર ગામમાં બોરવેલમાં પડેલા માસુમ પ્રહલાદને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રની સાથે સેનાએ બચાવ કાર્ય હાથ ધર્યું છે અને મને વિશ્વાસ છે કે, ખૂબ જ ઝડપથી પ્રહલાદને કુશળતા પૂર્વક બહાર કાઢવામાં આવશે.
3 વર્ષના બાળકને બચાવવા પ્રયાહ હાથ ધરાયા
Army, along with local administration is engaged in a rescue operation to save innocent Prahlad, who fell in a borewell in Setpura village. I'm confident that soon he'll be taken out safely. God bless the child with long life. Let's all pray for him: MP CM Shivraj Singh Chouhan https://t.co/hiX9O0rRAKpic.twitter.com/dnxXTxcLDf
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષનો બાળક પ્રહલાદ જિલ્લાના વારહબુઝુર્ગ ગામમાં બોરવેલ રમતી વખતે તે બાળક પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બાળકને બચાવવા પ્રયાસો ચાલુ છે. સેનાએ પણ આશરે બેસો ફુટ ઉંડા બોરવેલથી બાળકને બચાવવા સેના યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહી છે.