નિવેદન / VTV સાથે ખાસ વાતચીતમાં MLAનાં દબંગ સૂર, કહ્યું 'મને મંજુરી ન મળે તો છીનવતા આવડે છે'

વડોદરામાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે કામ ન થતા હોવાના રોષ સાથે રાજીનામું આપીને પરત પણ ખેંચી લીધું પણ હવે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો પણ સાતમા આસમાને છે. શ્રીવાસ્તવે કહ્યું કે કૌશિકભાઈએ મારું કામ કર્યું નથી. અધિકારીઓ મારા કામમાં અવરોધ બની રહ્યા છે. બજરંગબલીનું મંદિર બનાવવા મામલે શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગ પાસે મંજૂરી માગી હતી અને મંજૂરી નામ મળે તો રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી ત્યારે આવો સાંભળીએ દબંગ નેતાએ શું આપ્યો જવાબ

બ્રેકિંગ ન્યૂઝ