અનુપમા ફેમ માધવી ગોગટેનું નિધન થઇ ગયુ છે. કોરોના સામે જંગ લડી રહેલા માધવી રવિવારે મૃત્યુ પામ્યા હતા. રુપાલીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
અનુપમાની એક્ટ્રેસનું નિધન
અનુપમાની માતાનું પાત્ર ભજવ્યું હતું
રુપાલી ગાંગુલીએ આપી શ્રદ્ધાંજલિ
રુપાલિની માતાનું પાત્ર
અનુપમા શોમાં રુપાલિની માતાનું પાત્ર માધવીએ ભજવ્યું હતુ. થોડા દિવસ પહેલા તે કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા. જે બાદ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તે ઠીક પણ થઇ રહ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી અને રવિવારે બપોરે તેમનું નિધન થઇ ગયું હતું.
રુપાલીએ આપી શ્રદ્ધાંજલિ
માધવી ગોગટેની પૂર્વ કોએક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક ઇમોશનલ નોટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર માધવી ગોગટેની હસતી તસવીર શેર કરી છે. અને લખ્યું હતું કે, "ઘણું કહેવાનું રહી ગયુ... સદગતિ માધવી જી." માધવીએ અગાઉ 'અનુપમા' શોમાં રૂપાલી ગાંગુલીના પાત્ર અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી.
નીલુ કોહલીએ પણ આપી શ્રદ્ધાંજલિ
પીઢ અભિનેત્રી અને તેની મિત્ર નીલુ કોહલીએ પણ તસવીર સાથે માધવી માટે ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું, "માધવી ગોગટે મારી પ્રિય મિત્ર...ના...મને વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને ગયા. તારી વિદાયની ઉંમર કેટલી હતી.. તું બહુ નાની હતી..હું હવે ફક્ત તેનો અફસોસ કરી શકું છું."
58 વર્ષની વયે નિધન
માધવી ગોગટે 58 વર્ષની હતી અને તેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. માધવીએ ફિલ્મો અને ટીવી શોમાં શાનદાર કામ કર્યું છે. તેને અશોક સરાફ સાથેની મરાઠી ફિલ્મ 'ઘનચક્કર'થી લોકપ્રિયતા મળી હતી. તેમના લોકપ્રિય નાટકોમાં 'ભ્રમચા ભોપાલા' અને 'ગેલા માધવ કુનિકડે'નો સમાવેશ થાય છે.
માધવી ગોગટે ટીવી સિરિયલ્સ તાજેતરમાં મરાઠી ટીવી શોમાં સિરિયલ 'તુજા માજા જમાતે'થી ડેબ્યૂ કર્યું હતું. માધવીએ 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા' અને 'અનુપમા' જેવી ઘણી ટીવી સિરિયલોમાં શ્રેષ્ઠ અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.