સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયાએ એવી જાહેરાત કરી છે કે ટીબીના નિદાન માટે નવી મંજૂરી મળેલ સ્કીન ટેસ્ટને ટૂંક સમયમાં દેશમાં દાખલ કરવામાં આવશે.
દેશમાં હવે ટીબીના નિદાન માટે આવશે સ્કીન ટેસ્ટ
ટૂંક સમયમાં દેશમાં દાખલ થશે સ્કીન ટેસ્ટની પ્રણાલી
મેડ ઈન ઈન્ડીયા હશે સ્કીન ટેસ્ટ
બીજા દેશોને પણ થશે લાભ
કેન્દ્ર સરકાર દેશમાંથી ચેપી રોગ ટીબીનો જડમૂળમાંથી ખાતમો કરવા માગે છે અને તે માટે નવા નવા પ્રોગ્રામ શરુ કરી છે. પહેલા ટીબીના દર્દીઓ માટે કમ્યુનિટી સપોર્ટની યોજના અને હવે ટીબીના નિદાન માટે એક નવી પ્રણાલી દાખલ કરવાની સરકારે જાહેરાત કરી છે.
A newly approved skin test for tuberculosis diagnosis will soon be introduced in country: Union Health Minister Mansukh Mandaviya, underlines that cost-effective kit made in India will be of immense benefit to other countries as well
ટીબીના નિદાન માટે દેશમાં ટૂંક સમયમાં દાખલ થશે સ્કીન ટેસ્ટ
35મી બોર્ડ મિટિંગ ઓફ ધ સ્ટોપ ટીબી પાર્ટનરશીપને સંબોધિત કરતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું કે ટીબીના નિદાન માટે નવી મંજૂરી મળેલ સ્કીન ટેસ્ટને ટૂંક સમયમાં દેશમાં દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટીબીના નિદાન માટે સ્કીન ટેસ્ટની કીટ સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડીયાની હશે અને પ્રમાણમાં ઘણી સસ્તી છે જે બીજા દેશોને પણ ખૂબ કામ લાગશે અને તેમનો બોજો હળવો કરશે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે ચાલુ વર્ષમાં જ સરકાર દેશમાં ટીબીના નિદાન માટે c-TB નામનો સ્કીન ટેસ્ટ દાખલ કરશે જેના દ્વારા ટીબીનું સચોટ નિદાન થઈ શકશે.
ટીબીના સફાયા માટે ઘણી પહેલ શરુ કરી
માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આપદામાં અવસર શોધી લેવા માટે ઘણા પહેલ શરુ કરવામાં આવી છે જેમાં કોવિડ સાથે ટીબી ટેસ્ટિંગ, ઘર ઘર ટીબી નિદાન, સબ ડિસ્ટ્રીક્ટ લેવલે રેપિડ મોલેક્યુલર નિદાન સેન્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ, જન આંદોલન, ટીબી સર્વિસનું વિકેન્દ્રીકરણ વગેરે સામેલ છે.
ટીબીના દર્દીઓ માટે કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ
ટીબી જેવા ચેપી રોગનો સમૂળગો નાશ કરવા માટે વર્ષોથી કેન્દ્ર સરકારે પ્રોગ્રામ ચલાવી રહી છે અને હવે આ દિશામાં સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીના રોગને જળમૂળથી સફાયો કરવા માટે સરકાર ટૂંક સમયમાં એક પ્રોગ્રામ શરુ કરી રહી છે જે હેઠળ લોકો અને સંસ્થાઓ બ્લોક, વોર્ડ અને દર્દીઓને અંગત રીતે સ્વીકારી શકશે અને ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પડાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. સરકારે પત્રમાં રાજ્યોને જિલ્લા અને બ્લોક લેવલે મિશન મોડમાં ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવા માટેની તૈયારીઓ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.
જુનના પહેલા અઠવાડિયામાં ટીબીના દર્દીઓ માટે નવો પ્રોગ્રામ શરુ થશે
જુનના પહેલા અઠવાડિયામાં આ પ્રોગ્રામ શરુ થવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ એક સરલીકરણ તંત્ર સ્થાપિત કરવામાં આવશે જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધઇઓ અને બિન સરકારી સંગઠનો, વ્યક્તિઓ (જાહેર અને ખાનગી) ટીબીને ખતમ કરવાના પ્રયાસોને ટેકો આપશે. ટીબીના દર્દીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી આવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
દર્દીઓને હાલ મળતી સારવાર પર કોઈ અસર નહીં પડે
તમામ રાજ્યો સાથે કેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા ગાઈડન્સ ડોક્યુમેન્ટમાં એવું જણાવાયું છે કે એવા તમામ ટીબીના દર્દીઓ કે જેઓ સૂચિત થયેલા છે અને જેમની સારવાર હજુ સુધી અપડેટ કરાઈ નથી તેમને હાલના ટીબીના દર્દીઓ તરીકે ગણવામાં આવશે અને કેન્દ્રની નવી પહેલ હેઠળ કમ્યુનિટી સપોર્ટ મેળવવાની મંજૂરી માટે તેમનો સંપર્ક સાધવામાં આવશે. કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ટીબીના દર્દીઓને એવી ચોઈસ આપવામાં આવશે કે તેઓ પ્રોગ્રામ હેઠળ નોંધાવવા માગે છે કે નહીં અને જો તેઓ નોંધાવા માગતા હોય તો તેમને હાલમાં મળતી સેવાઓ પર કોઈ અસર નહીં થાય. ત્યાર બાદ હેલ્થ વર્કર દર્દીઓ પાસેથી મંજૂરી માગશે અને તેમને એક ફોર્મ ભરવા આપશે. હેલ્થ સ્ટાફના પોર્ટલ Nikshay (Ni=End, Kshay=TB) પર મંજૂરીનું સ્ટેટટ જોઈ શકશે.
ટીબીના દર્દીઓને શું લાભ મળશે
જુન મહિનામાં જે નવો પ્રોગ્રામ શરુ થવાનો છે તે હેઠળ દર્દીઓને ન્યૂટ્રિશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. દર્દીઓને લગભગ એક વર્ષ સુધી આવી સારવાર પૂરી પાડવામાં આવશે. સાથે કમ્યુનિટી સપોર્ટ પણ આપવામાં આવશે જેથી કરીને દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય.