લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામા ભાગ લેતા પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર જોરદાર વાર કર્યાં હતા.
પીએમ મોદીએ રાજ્ય વાઈઝ કોંગ્રેસની નબળાઈ ગણાવી
તેમણે કહ્યું-વિપક્ષનો કાંટો 2014માં અટકી પડ્યો છે
મોદીએ કહ્યું-જનતા તમને ઓળખી ચૂકી છે
સતત પરાજય છતા પણ કોંગ્રેસનો અહંકાર જતો નથી
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સંસદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદી વિપક્ષ પર ઉગ્ર પ્રહારો કર્યાં હતા. તેમણે કોંગ્રેસને એક એક રાજ્યમાં હારનું ઉદાહરણ આપીને અહંકારી પાર્ટી ગણાવી. પીએમ મોદીએ કહ્યું કે તમે કેટલા વર્ષોથી સત્તાથી બહાર છો. યુપી, બિહાર, ગુજરાતમાં 37 વર્ષ પહેલા જનતાએ તમને નકાર્યા હતા. બંગાળમાં 1972માં તમને પસંદ કર્યાં હતા.
ભારત ગ્લોબલ લીડર તરીકે બહાર આવ્યું
પ્રધાનમંત્રી મોદીએ સૌથી પહેલા દિવંગત લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાર બાદ કહ્યું કે કોરોના બાદ નવા વિશ્વામાં જઈ રહ્યાં છીએ, ભારત ગ્લોબલ લીડર તરીકે બહાર આવ્યું છે.
Today poor people of the country are getting a gas & connection, house & toilets. They have their own bank account. But unfortunately, some people's (opposition) minds are still stuck in 2014: Prime Minister Narendra Modi in Lok Sabha pic.twitter.com/eS6lgoaCqZ
આવાસ યોજનાનો લાભ મળતા જ ગરીબ લખપતિ બની જાય છે
મોદીએ કહ્યું કે કોરોના કાળ બાદ દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી છે. આ મામલે નેતૃત્વના મુદ્દે ભારતે પાછળ રહેવાની જરૂર નથી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે આ તક ગુમાવવી ન જોઈએ. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લઈને સ્વચ્છ ભારત અભિયાન સુધીની તમામ વાતો કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આવાસ યોજનાનો લાભ મળતા જ ગરીબ લખપતિ બની જાય છે. ગરીબોના ઘરમાં પણ ચૂલાના ધૂમાડાથી છુટકારો મળે તો સારું. આજે ગરીબોનું બેંકમાં ખાતું છે, ગરીબ લોકો બેંકમાં ગયા વગર તેમના ખાતાનો ઉપયોગ કરે છે.
During the first wave of COVID19, you (Congress) gave free train tickets to migrant workers to leave Mumbai. At the same time, Delhi govt told migrant workers to leave the city and provided them buses. As a result, Covid spread rapidly in Punjab, UP & Uttarakhand: PM Modi pic.twitter.com/lvxbhAU2CF
જનતાની વચ્ચે રહો તો દેખાય કે સરકારી યોજનાની રકમ સીધી ગરીબોના ખાતામાં જમા થાય છે
પીએમ મોદીએ કહ્યું કે સરકારની યોજનાઓની રકમ સીધી તેના ખાતામાં પહોંચવી જોઈએ. જો તમે પબ્લિકમાં રહો છો તો આ વાતો ચોક્કસ દેખાય છે. કમનસીબે, 2014માં ઘણા લોકોનો વિકાસ અટવાયો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, દેશની જનતાએ તમને ઓળખી લીધા છે. તમે ઘણા બધા ઉપદેશો આપો છો અને પછી ભૂલી જાઓ છો કે તમને પણ 50 વર્ષ સુધી અહીં બેસવાનો લહાવો મળ્યો હતો. તેમણે કહ્યું કે નાગાલેન્ડે કોંગ્રેસને મત આપ્યાને લગભગ ૨૪ વર્ષ થઈ ગયા છે. ગોવાએ તમને 28 વર્ષથી સ્વીકાર્યો નથી. પીએમ મોદીએ ત્રિપુરા અને ઓડિશાની સાથે સાથે ઘણા રાજ્યોમાં કોંગ્રેસની છેલ્લી સરકારોની યાદ અપાવી.
મેડ ઈન ઈન્ડીયા વેક્સિન દુનિયામાં સૌથી વધારે અસરકારક
પ્રધાનમંત્રી મોદીએ કોરોના વેક્સિનને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે મેડ ઈન ઈન્ડીયા વેક્સિન દુનિયામાં સૌથી વધારે અસરકારક છે.
કોંગ્રેસે યુપી-બિહારના લોકોને મફતમાં ટિકિટ આપીને કોરોના ફેલાવ્યો
જ્યારે દેશમાં લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તમામ નિષ્ણાતો કહેતા હતા કે જે લોકો જ્યાં છે ત્યાં રહે છે, ત્યારે કોંગ્રેસના લોકોએ મુંબઈના રેલ્વે સ્ટેશન પર મજૂરોને મફતમાં ટિકિટ આપી હતી. તેમણે લોકોને કહ્યું કે તમે યુપી અને બિહારના છો, જાઓ અને ત્યાં કોરોના ફેલાવો. આવું કરીને કોંગ્રેસે મોટું પાપ કર્યું.
Now that you (Congress) have made up your mind not to come to power for the next 100 years,then, 'Maine bhi tyaari kar li hai': PM Modi in Lok Sabha https://t.co/NbCYDI0TvE
કોંગ્રેસે 100 વર્ષ સુધી સત્તામાં પાછા ન આવવાનું મન બનાવ્યું
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે 100 વર્ષ સુધી સત્તામાં પાછા ન આવવાનું મન બનાવ્યું છે. મોદીએ કહ્યું કે યુપી, પંજાબ અને ગોવામા કોરોના ફેલાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે.