વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી માણસના જીવનમાં સુખ-સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે અને માણસ પ્રગતિના પંથે ચાલવા માંડે છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે નિયમિત આ ઉપાય ફરજીયાત કરો.
માં લક્ષ્મીની કૃપા મેળવવા નિયમિત આ ઉપાય કરો
માણસની પ્રગતિ ઝડપી થશે અને અઢળક ધન કમાશે
રાત્રે ઊંઘતા પહેલા આ ઉપાય અચૂક કરો
ઘરમાં ક્યારેય નહીં સર્જાય રૂપિયાની અછત
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે, જેને નિયમિત રાત્રે ઊંઘતા પહેલા કરવામાં આવે તો માણસ વધુ પ્રગતિ કરે છે. આ સાથે માં લક્ષ્મીના આશીર્વાદથી જાતક અઢળક ધન કમાય છે. આવો જાણીએ રાત્રે વ્યક્તિએ એવા કયા ઉપાયો કરવા જોઈએ. જેનાથી ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે.
રાત્રે ઊંઘતા પહેલા જરૂર કરો આ કામ
બાથરૂમમાં પાણીની ડોલ ભરીને રાખો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં જો થોડી વાતનુ ધ્યાન રાખવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા સરળતાથી મેળવી શકાય છે. વાસ્તુ જાણકારો મુજબ બાથરૂમમાં પાણીથી ભરેલી ડોલથી માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. રાત્રે ઊંઘતા પહેલા બાથરૂમમાં એક પાણીથી ભરેલી ડોલ મુકીક દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ નાણાની અછત સર્જાશે નહીં.
રસોડામાં કરો આ ઉપાય
વાસ્તુ મુજબ રાત્રે ઊંઘતા પહેલા રસોડામાં એક પાણીની ડોલ ભરીને મુકી દો. આમ કરવાથી માણસ પર દેવુ રહેતુ નથી અને દેવામાંથી મુક્તિ મળે છે. માણસને પૈસાની તંગીમાંથી છૂટકારો મળે છે.