હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો લક્ષ્મી માતા નારાજ થઈ જાય તો રાજાને પણ રંક થવામાં સમય નથી લાગતો. આવી સ્થિતિમાં લક્ષ્મીની કૃપા મેળવવા આ ઉપાયો જરૂર કરો.
ઘરમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલો
માતા લક્ષ્મીની કૃપાથી નથી થતી આર્થિક તંગી
માતા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાય
જીવનમાં દરેક સુખ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિને ધનની જરૂર હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી લક્ષ્મીને ધન અને સૌભાગ્યની દેવી માનવામાં આવે છે. જેની કૃપાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ પોતાના સમર્પણ અને નિષ્ઠાથી કામ કરે છે, દેવી લક્ષ્મીની પૂજા પણ કરે છે, પરંતુ તેમ છતાં તેને ધનની પ્રાપ્તી નથી થતી.
એવામાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી કોઈ કારણસર નારાજ થઈ ગયા છે, જેના કારણે વ્યક્તિને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આવી સ્થિતિમાં આપણે જાણીએ કે કઈ બાબતોનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ.
આવી જગ્યા પર માતા લક્ષ્મીનો નથી હોતો વાસ
એવું માનવામાં આવે છે કે જે લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂતા રહે છે તેમનામાં ધનની દેવી ક્યારેય વાસ કરતી નથી.
સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં કચરો ન વાળવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જો કચરો વાળવો જરૂરી છે તો સાંજે કચરો વાળ્યા પછી તેને ડસ્ટબિનમાં રાખો અને બીજા દિવસે સવારે તેને ફેંકી દો.
જે લોકો આખી રાત એઠા વાસણો રાખે છે તેમના રસોડામાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી. રસોઈ કર્યા પછી રસોડુ સાફ રાખવાની આદત પાડો.
એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મહિલાઓનો અનાદર થાય છે ત્યાં ધનની દેવી ગુસ્સે થઈને તે ઘર છોડીને ચાલ્યા જાય છે.
ધન-ધાન્યના લાભ માટે પ્રયત્ન કરો કે ઘરની ઉત્તર દિશામાં કચરો અથવા નકામી વસ્તુઓ ન રાખવાનો પ્રયાસ કરો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે હંમેશા ઉત્તર દિશા અને ઈશાન ખૂણાને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો.
અહીં હોય છે માતા લક્ષ્મીનો વાસ
જે લોકોના ઘરમાં દરરોજ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે.
દરરોજ તુલસી કેળા અને આમળાના ઝાડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
ઘરની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.