દિવાળીનો ત્યોહાર અતિ શુભ અને સુખ- સમૃદ્ધિ અપાવનાર તહેવાર માનવામાં આવે છે. આ પવિત્ર પર્વે માં લક્ષ્મી પ્રસન્ન થઇ ભક્તો પર કૃપા વરસાવે છે. માં લક્ષ્મી જ્યારે તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે તમને અનેક સંકેતો આપે છે. તેમાંનો એક સંકેત છે સ્વપ્ન.
સ્વપ્ન દ્વારા માતા લક્ષ્મી આપે છે સંદેશાઓ
કમળ, ગુલાબ, ગાય જેવી વસ્તુઓ દેખાવી છે શુભ
માતા લક્ષ્મી પ્રસન્ન થઇ આરે છે આશિર્વાદ
દિવાળીનાં શુભ દિવસોમાં જો તમને પણ અવનવી વસ્તુઓ સપનાંમાં આવે છે તો બની શકે છે કે માં લક્ષ્મી તમને કંઇક કહેવા માંગે છે. તમારી ભક્તિથઈ માં લક્ષ્મી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તમને તે અનેક સંકેતો આપે છે. તેમાનો એક સંકેત છે સ્વપ્ન. જો દિવાળીની રાત્રે તમને પણ આમાંથી કોઇ વસ્તુ સપનામાં તમને આવે છે તો જાણી લેજો કે તમે ધનવાન થવાનાં છો.
કમળ
વ્યાપાર અને નોકરીવાળાં લોકોને જો સપનાંમાં કમળનું ફુલ દેખાય છે તો તે અતિ શુભ માનવામાં આવે છે. સપનાંમાં જો કમળ આવે છે અને તે જો તમારાં હાથમાં તમને દેખાય છે તો તે વધુ શુભકારી છે. હાથમાં રહેલ કમળ તમારાં હાથમાં આવનારાં ધનની સંજ્ઞા આપે છે. નોકરી કરનારાંઓ માટે આ કમળ ઉન્નતિ કે પ્રમોશનનું સંકેત પાઠવે છે.
ગાયને દૂધ દેતાં જોવું
દિવાળીની રાત્રે જો તમને સપનાંમાં ગાય કે તેનું વાછરડું દેખાય છે તો સમજી લેવું કે પૈસા-ધનની વર્ષા થવાની છે. જો તમે સપનાંમાં ગાયને દૂધ દેતાં જુવો છો તો તે શુભકારી છે. સપનાં ગાયનું આવવું સુખ-સમૃદ્ધિ અને ધન-વૃદ્ધિનાં સંકેતો આપે છે.
ઘઉં કે ડાંગ દેખાવું
દિપાવલીનાં શુભ પર્વે તમને સપનાંમાં ઘઉં કે ડાંગર દેખાય છે તો તેને લાભદાયી સમજવું. આ સપનાંનો અર્થ છે કે તમે આવનારાં સમયમાં ધનલાભ મેળવશો અને ઘરમાં માં લક્ષ્મીનો વાસ થશે.
કુળદેવતાનાં દર્શન
પવિત્રપર્વની રાત્રે જો તમને તમારાં કુળદેવતાંના દર્શન સપનાંમાં થાય છે તો સમજી લેજો કે તમારી કોઇ માનતા કે મનોકામના હવે પૂરી થવાની છે. તેના સિવાય સારી નોકરી કે મનપસંદ સાથી મળવાનાં સંકેતો પણ આપે છે. સપનાંમાં કુળદેવતાનું આવવું તમારી કાર્યસિદ્ધિનાં સંદેશા આપે છે.
ગુલાબનું દેખાવું
જો ગુલાબ તમારાં સપનાંમાં આ સમયે આવે છે તો માં લક્ષ્મી તમારાં ઉપર ખુબ પ્રસન્ન છે. માં લક્ષ્મીને ગુલાબનું ફુલ અતિ પ્રિય છે તો જો આ ફુલ તમારાં સપનાંમાં આવે છે તો માં લક્ષ્મી સાક્ષાત તમારા આંગણે છે અને તમારી મનની ઇચ્છાઓ પૂરી પણ કરશે.
સ્વસ્તિક દેખાવું
દિવાળીની રાત જો તમને સ્વસ્તિક દેખાય છે તો તમારાં પરિવારમાં આનંદની લહેર આવી શકે છે. પરિવારનાં લોકોમાં સમજદારી અને પ્રેમભાવ વધશે.