જે વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા હોય છે. તેને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. સવાર-સાંજ તેનું પાલન કરવાથી વ્યક્તિના ઘરમાં ધન-સંપત્તિનું આગમન થાય છે.
માતા લક્ષ્મી વરસાવશે તેમની કૃપા
દરરોજ સવાર સાંજ કરો આટલું કામ
ધનની નહીં રહે કમી
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં મા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે. તે આ માટે સખત મહેનત કરે છે. જેથી મા લક્ષ્મીના આશીર્વાદ મળી શકે. પરંતુ જો કેટલાક જ્યોતિષીય ઉપાય અપનાવવામાં આવે તો મા લક્ષ્મીની કૃપા મળી શકે છે.
નિયમિત સવાર સાંજ કરો અષ્ટલક્ષ્મીના પાઠ
મા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનની તમામ ખુશીઓ મળે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સવારે અને સાંજે નિયમિતપણે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. તેના નિયમિત જાપથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
દાનથી ગરીબી અને આર્થિક સંકટ થાય છે દૂર
આ ઉપરાંત દાન કરવાથી વ્યક્તિની ગરીબી અને આર્થિક સંકટ દૂર થાય છે. પરંતુ ગુપ્ત દાન સૌથી મોટું દાન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ જન્મમાં દાન કરવાથી અનેક જન્મો અને અનેક પેઢીઓ સુધી તેનું પુણ્ય મળે છે. જ્યોતિષમાં કેટલીક વાતો જણાવવામાં આવી છે જેને ગુપ્ત રીતે દાન કરવાથી લાભ થાય છે.