હિન્દુ ધર્મમાં માં દુર્ગાને બધી શક્તિઓનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. માં દુર્ગાના અલગ-અલગ નામોમાં એટલી તાકાત છે કે આ નામના જાપથી દુનિયાના બધા સુખ મેળવી શકાય છે.
માં દુર્ગાની આરાધનાથી સર્વે દુ:ખ થાય છે દૂર
ખૂબ જ શક્તિશાળી છે માં દુર્ગાના આ નામ !
આ નામના જાપ કરવાથી દુનિયાના બધા સુખ મેળવી શકાય છે
માં દુર્ગાની ઉપાસના કરવાથી દુ:ખમાંથી મળશે છૂટકારો
માં દુર્ગાની આરાધના કરવી બધી સુખ અને સમૃદ્ધી આપે છે. આ સાથે સંકટ અને મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવે છે. માં દુર્ગા જ શક્તિનો સ્ત્રોત છે. જ્યારે માનવ જ નહીં, પરંતુ દેવો પર પણ સંકટ આવ્યું છે ત્યારે દેવો માં દુર્ગાની શરણમાં ગયા છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માં દુર્ગાની ઉપાસનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જેમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થતા લાભ તો બધા જાણે છે. પરંતુ આ વાતથી ખૂબ જ ઓછા લોકો વાંકેફ છે કે માં દુર્ગાના અલગ-અલગ નામમાં પણ એટલી તાકાત છે કે તેના જાપથી બધા દુ:ખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધી મળે છે.
માં દુર્ગાના 108 નામ
સતી: દેવી સતી ભગવાન શંકરની પહેલી પત્ની છે. દેવી સતિએ પોતાના પિતા પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એટલેકે તેઓ આવતા જન્મમાં ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવી શકે. તેથી પતિને વફાદાર સ્ત્રીઓને સતીની ઉપમા આપવામાં આવે છે.