આપણાં દેશમાં માં દુર્ગાના 51 શક્તિપીઠો સિવાય કેટલાક એવા મંદિર પણ છે જે કોઇ દિવ્ય ચમત્કારથી ઓછાં નથી. આવું જ એક મંદિર છત્તીસગઢના રાજ્ય ડોંગરગઢમાં આવેલું છે. મંદિરમાં પહોંચવા ભક્તોને 1000થી વધારે પગથિયા ચઢવા પડે છે. આમ તો આખું વર્ષ અહીં ભક્તો દર્શને આવે છે પરંતુ નવરાત્રિમાં અહીંનો માહોલ કંઇક અલગ જ હોય છે.
અહીંયાના રાજા કામસેન સંગીત અને કળાના ખૂબ જ શોખિન હતા. તેમના દરબારમાં કામકંદલા નામની ખૂબ જ સુંદર અને પોતાની કળામાં નિપુણ નર્તકી હતી. નર્તકી સાથે જુગલબંધી કરનારો એક સંગીતકાર માધવાનલ હતો. સાથે રહેતાં-રહેતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. રાજાને આ વાતની જાણ થતાં જ તેમણે માધવાનલને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો.
માધવાનલે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને કહ્યું કે તે કામકંદલા સાથે મુલાકાત કરવામાં મદદ કરે. વિક્રમાદિત્યએ રાજા કામસેનને સંદેશો મોકલ્યાવ્યો કે તે બંને પ્રેમીઓને મળવા દે. પણ કામસેને ના પાડતાં બંને રાજાઓ વચ્ચે યુદ્ધ થયું. બંને વીર યોદ્ધા હતા. એક મહાકાલનો ભક્ત હતો તો બીજો મા વિમકાનો. બંને વચ્ચે યુદ્ધ થતું જોઈને મહાકાલ અને મા વિમલા પોતના ભક્તોને મદદ કરવા લાગ્યા.
યુદ્ઘ ખરાબ પરિણામોને જોતાં બંને રાજાઓના ઇષ્ટદેવતાઓએ કામકંદલા અને માધવાનલનું મિલન કરાવ્યું. ત્યારે જ રાજા વિક્રમાદિત્યએ મા વિમલેશ્વરીને પહાડીમાં સ્થાપિત થવાનું કહ્યુ ત્યારથી જ મા બમલેશ્વરીનું મંદિર અહીંયાય છે અને માં સ્થાનિય લોકોની અધિષ્ઠાત્રી દેવી છે.
માના આ અલૌકિક મંદિરમાં હવનની વિધિ પણ અનોખી છે. અહીં હવનમાં લાલ મરચાં ઉપયોગમાં લેવાય છે. કહેવાય છે કે લાલ મરચાંથી શત્રુઓનો નાશ થાય છે માટે જ અહીં હવનમાં લાલ મરચાં ઉપયોગમાં લેવાય છે.