અમદાવાદ જિલ્લા સહિત રાજ્યની ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટરમાં રેશનકાર્ડમાંથી નામ રદ કરવા, ઉમેરવા કે કાર્ડમાં સુધારો વધારો કરવા ગ્રામપંચાયતોમાં જ સુવિધા શરૂ કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે આ સુવિધા શરૂ થવાનો આનંદ લેવાના બદલે લોકોમાં નિરાશા છે.
અરજદારો મામલતદાર કે કલેકટર કચેરીનો ધક્કો ખાવો પડશે
રાજ્યમાં ઇ-ગ્રામ યોજના અમલમાં મુકાઇ
મા-કાર્ડ માટે તલાટી કમ મંત્રીને યાદીમાંથી બાકાત કર્યા
કારણ કે આ એક રેશનકાર્ડની સુવિધા ગ્રામ પંચાયતમાં આપી પણ સરકારે મા કાર્ડ માટે આવકના દાખલાની સુવિધા છીનવી લીધી છે. જે મેળવવા હવે અરજદારોએ ઘર આંગણાંની સુવિધા જતી કરીને કલેકટર કચેરી સુધી ધક્કો ખાવો પડશે.
સરકારે એક તરફ રેશનકાર્ડને લગતી મા-કાર્ડ માટે આવકનો દાખલો મેળવવા ગ્રામીણ નાગરિકોને પોતાનો સમય અને ભાડું ખર્ચી મામલતદાર કચેરી સુધી જવું પડશે.પરંતુ પાંચ માસ બાદ સરકારે ૨૩ ડિસેમ્બરે મા-કાર્ડ માટે તલાટી કમ મંત્રીને સાત અધિકૃત અધીકારીઓની યાદીમાંથી બાકાત રાખી સાત અધિકૃત અધિકારીઓ દ્વારા આપવામાં આવતો દાખલો માન્ય ગણવા પરિપત્ર બહાર પાડતાં મા- કાર્ડ યોજના માટે આવકનો દાખલો મેળવવા ગ્રામ પંચાયતમાં વીસીઇ પાસે ઓનલાઇન અરજી કરાવી તલાટી ચકાસણી કરી આપે તે લઇ મામલતદાર, કલેકટર કે ડીડીઓ કચેરી સુધી જવું પડશે.
આમ હવે તલાટી સિવાયના કલેકટર, પ્રાંતઅધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીમાંથી કોઇ એકનો અધિકૃત દાખલો માન્ય ગણાશે. આ નિર્ણયથી અરજદારોમાં ભારે રોષ છે.
ગ્રામ પંચાયતોની કામગીરીને વધુ ઝડપી બનાવવા રાજ્યમાં ઇ-ગ્રામ યોજના અમલમાં મુકાઇ છે. જે અંતર્ગત ૧૪,૨૯૨ ગ્રામપંચાયતોમાંથી જન્મ મરણના દાખલા, ચારિત્ર્ય પ્રમાણપત્ર, આવકના દાખલા, ૭-૧૨ અને ૮-અના ઉતારા, ટેક્સ કલેક્શન, વીજળી બીલ, રેલવે અને હવાઇ મુસાફરીની ટિકિટ, મ્યુચ્યુઅલ ફંડની કામગીરી સહિત વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.