દિલીપભાઈની દુ:ખભરી કહાણી સાંભળીને કોને દોષ દેવો એ પ્રશ્ન થઈ પડશે. પ્રેસમાં કામ કરતા દિલીપભાઈ વાઘેલાના હાથ કપાઈ જતા તેમના ફિંગરપ્રિન્ટ શક્ય નથી જેને કારણે `મા' કાર્ડમાં તેમનો સમાવેશ થઈ શક્યો નથી. વૃદ્ધને હવે હાર્ટએટેક આવ્યો છે ત્યારે તેમની સારવાર કરાવવા માટે પરિવાર પાસે પૈસા નથી અને `મા' કાર્ડમાં નામ નથી ત્યારે દિલીપભાઈની સારવાર હાલ અટકી પડી છે.
ફિંગર પ્રિન્ટ વગર `મા' કાર્ડમાં નામ ન ચઢી શકે સરકારી અધિકારીઓ
પરિવારની મહિલાઓ મળીને ઘરનું ગુજરાન ચલાવે
40 વર્ષ પહેલા એક ગોઝારી ઘટનામાં દિલીપભાઈના હાથના કાંડા કપાયા હતા
કેટલીક સરકારી હોસ્પિટલમાં જ નથી ચાલતુ 'મા' કાર્ડ
દિલીપભાઈના બન્ને હાથના કાંડા કપાયેલા છે ત્રણ દિવસ પહેલા દિલીપભાઈને હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ અટેક આવતા તેમને SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. 65 વર્ષીય દિલીપભાઈ BPL કાર્ડ ધરાવે છે. 6 વર્ષ પહેલા પરિવારે મા કાર્ડ બનાવ્યુ હતું પણ હાથ ન હોવાથી દિલીપભાઈનો સમાવેશ ન થઈ શક્યો.
કેમ નથી ચડ્યુ 'મા' કાર્ડમાં નામ
દિલીપભાઈને હાથ ન હોવાથી મા કાર્ડમાં નામ ચડ્યુ નથી. અનેક કચેરીઓમાં ધક્કા ખાવા બાદ પણ તેમનું કામ નહોતુ થયું. સરકારી અધિકારીઓ એકનું એક રટણ કરે છે કે, ફિંગર પ્રિન્ટ વગર `મા' કાર્ડમાં નામ ન ચઢી શકે. ત્રણ દિવસ પહેલા હાર્ટ અટેક આવતા પરિવારે કચેરીઓના ધક્કા ખાવાનું શરૂ કરી દીધુ હતુ.
કેવી રીતે કપાયા કાંડા
દિલીપભાઈએ ઘણા વર્ષો સુધી પ્રિંટિગ પ્રેસમાં કામ કર્યું છે. 40 વર્ષ પહેલા એક ગોઝારી ઘટનામાં દિલીપભાઈના હાથના કાંડા કપાયા હતા. દિલીપભાઈના પરિવારમાં 11 સભ્યો છે. જેમાંથી ચાર મહિલાઓ છે
દિલીપભાઈ ICUમાં છે
હાલમાં દિલીપભાઈ ICUમાં સારવાર હેઠળ છે. પણ મા કાર્ડ ન હોવાથી દિલીપભાઈની સારવાર અટકી છે. પરિવારે 30 હજારનું દેવુ કરીને હોસ્પિટલમાં રૂપિયા ભર્યા છે પણ હવે તેમની પાસે રૂપિયા નથી.
કોણ ચલાવે છે ઘર?
દિલીપભાઈ પટેલના કાંડા કપાયા બાદ ઘર કોણ ચલાવે છે તે પણ બહુ મોટો પ્રશ્ન છે. દિલીપભાઈનું ઘર અત્યારે ચાર મહિલાઓ ચલાવે છે. ચારેય મહિલાઓ મળીને ઘરનું ગુજરાન ચલાવે છે.
કેટલીક સરકારી હોસ્પિટલમાં જ નથી ચાલતુ 'મા' કાર્ડ
ગરીબ અને જરૂરીયાત વર્ગના યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારે મા કાર્ડ શરૂ કર્યાં. જે અંતર્ગત ગરીબ દર્દીઓને સારવારમાં સહાય થાય છે. પરંતુ જોવાની વાત એ છો કે સરકારનું 'મા' કાર્ડ AMCની SVP હોસ્પિટલમાં જ નથી ચાલતું. જેના કારણે દર્દીઓને હાલાક થઇ રહી છે.
દર્દીઓ પાસે 'મા' કાર્ડ હોવા છતા તેમની પાસેથી હોસ્પિટલમાં રૂપિયા વસૂલવામાં આવે છે. અને સારવાર કર્યા બાદ તંત્ર રૂપિયા માગે છે. ત્યારે અહિંયા સવાલ ઉઠી રહ્યાં છે કે સરકારી હોસ્પિટલમાં જ કેમ નથી ચાલતુ સરકારી યોજનાનું 'મા' કાર્ડ. શું સરકારને આ વાતની કોઇ જાણ છે ખરી?