ભારતીય ટીમનાં કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદથી તેઓ ક્રિકેટથી દૂર છે. તેમણે અત્યાર સુધી પોતાના સંન્યાસની કોઈ વાત પર ખુલીને વાત કરી નથી. માનવામાં આવી રહ્યું હતું કે ધોની T 20 વર્લ્ડ કપમાં સામેલ થશે. પરંતુ આ ટીમમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોની નહીં રમે
ધોની જે ક્રમે રમતો તે જ ક્રમે હવે બીજા ખેલાડીને ટીમ ઈન્ડિયા કરી રહી છે રિપ્લેસ
વિરાટ કોહલીએ પણ ઈશારો કરી દીધો છે કે હવે ધોની માટે ટીમનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયા પહેલાં ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ ત્રણ મેચની વન ડે સીરીઝ રમવાની છે. સીરીઝનો પહેલો મુકાબલો 14મી જાન્યુઆરીએ રમવામાં આવશે. વિરાટ કોહલીએ પહેલાં જ સંકેત આપ્યા હતા કે શિખર ધવન અને કેએલ રાહુલ બંનેને પ્લેયિંગ ઈલેવનમાં મોકો આપવા માટે પોતે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે.
આશા ખુબ ઓછી છે કે ધોની હવે ટીમ ઈન્ડિયા માટે રમતા દેખાશે
સાફ સંકેત છે કે શિખર અને રોહિત સાથે બેટિંગ કરશે જયારે કેએલ રાહુલ ત્રીજા નંબરે રહેશે. જેનો સીધો અર્થ થાય છે કે ધોનીની જગ્યાએ બીજા ખેલાડીની ભરપાઈ કરવાની તૈયારી મેનેજમેન્ટે કરી લીધી છે. મહેન્દ્ર સિંહ ધોની જે ક્રમ પર રમતા તે ક્રમને મજબુત કરવા મેનેજમેન્ટ તૈયારી કરી રહ્યું છે. જે બાદ આશા ખુબ ઓછી છે કે ધોની હવે ટીમ ઈન્ડિયા માટે રમતા દેખાશે.
વિરાટે આપ્યું નિવેદન
ઓસ્ટ્રેલીયા સામે વન ડે રમતા પહેલાં કોહલીએ કહ્યું કે 'જુઓ સારી ફોર્મમાં ચાલી રહેલો બેટ્સમેન હંમેશા ઉપયોગી રહે છે. આ વાતની સંભાવના છે કે રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવન ત્રણેય રમે. જોવાનું એ રહે છે કે અમે ક્યા સંયોજન સાથે મેદાન પર ઉતરીએ છે' જ્યારે વિરાટને પોતાનો ક્રમ નીચે કરવા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વિષય પર ખુશી જતાવી. તેમણે કહ્યું કે તે એ વાતથી ચિંતિત નથી કે તે કયા નંબર પર રમશે. તેમણે કહ્યું કે 'મને મારાં બેટિંગ ક્રમને લઈને કોઈ અસુરક્ષા નથી.'