સુરતના અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ સત્તાધીશોએ શહેરભરના આશરે ૩ હજારથી વધુ ટ્યૂશન કલાસીસની ફાયર સેફટી ચકાસવા લીધી છે. તંત્રની ઝપટમાં ખાનગી વાચનાલયો આવવાથી વિદ્યાર્થીઓની દશા કફોડી બની છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ શાસકોએ એમ.જે. લાઈબ્રેરીના વાચનાલય સહિતનાં મ્યુનિ. વાચનાલયોમાં હાલની સમયમર્યાદા વધારવા જાહેરાત કરી હતી. જોકે મ્યુનિસિપલ શાસકો અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે મ્યુનિ. વાચનાલયનો સમય આજે પણ વધારાયો નથી.
એમ.જે. લાઈબ્રેરીના વાચનાલયમાં વિદ્યાર્થીઓને આજે પણ સવારે ૧૦-૩૦ થી સાંજેના ૬-૧૦ સુધી વાચનાલયનો લાભ મળે છે. જો આ સમયમાં વધારો કરાયો તો અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે તેમ છે.