સામાન્ય રીતે લીચી એ ઉનાળામાં મળતું ફળ છે.જે ખાવામાં ટેસ્ટી હોય છે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ગણું ફાયદાકારક છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન A, વિટામિન C, બી કોમ્પ્લેક્ષ, પોટેશિયમ, આયર્ન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે.
જો કોઇ વ્યકિત સવારે ભૂખ્યા પેટે રોજ 2-4 લીચી ખાય તો તેનાની અનેક લાભ થાય છે. જી હા, જાણો લીચીને ફાયદાઓ વિશે...
- લીચી શરીરની રોગપ્રતિકારણ શક્તિ માટે સારુ છે. લીચીમાં રહેલું વિટામિન C શરીરમાં આયર્ન એબ્ઝોબ કરવામાં મદદરૂપ થાય છે જેનાથી રોગપ્રતિકારણ શક્તિ વધે છે.
- લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન ક્રિયા માટે જરૂરી છે. આનાથી બીટા કેરોટીનને લિવર અને અન્ય અંગોમાં સ્ટોર કરવામાં મદદ મળે છે. ફોલેટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે.
- લીચીને જામ, જેલી, સૅલડ અને અન્ય અનેક ડિશમાં ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે. નાની લીચીમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા મિનિરલ્સ હોય છે, જેણે ગુણકારી બનાવે છે.
- લીચી સ્વાસ્થ્યની સાથે ફીગરનું પણ ધ્યાન રાખે છે. તેમાં રહેલા ફાઇબર મેદસ્વીતા ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
- ઝાડા, ઉલટી, પેટનું અલ્સર વગેરે જેવી બીમારીઓમાંથી બહાર આવવા માટે લીચી ફાયદાકારક છે. પેટમાં હાનિકારક ટોક્સિનના પ્રભાવને ઓછો કરે છે.
- લીચી એનર્જીનો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે લીચી ઘણી ફાયદાકારક છે. આ સિવાય હિમોગ્લોબિન પણ વધારે છે.
- ઘણા રિસર્ચમાં સાબિત થયુ છે કે, લીચીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે. દરરોજ લીચીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ વધી નથી શકતા.